આમચી મુંબઈ

સત્તા માટે ભાજપ સાથે જોડાનારા તકવાદીઓને પ્રોત્સાહન આપી શકતો નથી: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના બે જૂથો વચ્ચે સંભવિત પુન:મિલનની ચર્ચા વચ્ચે તેમના અલગ થયેલા ભત્રીજા અજિત પવારને આડકતરા સંદેશમાં એનસીપી (એસપી) ના વડા શરદ પવારે મંગળવારે કહ્યું હતું કે કેટલાક વ્યક્તિઓ તકવાદી રાજકારણ કરીને સત્તાધારી ભાજપ સાથે જોડાણ કરી બેઠા હતા.

પુણેના પાડોશી પિંપરી-ચિંચવડમાં એનસીપી (એસપી)ના કાર્યકરોને સંબોધતા પવારે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તકવાદી રાજકારણને પ્રોત્સાહન આપી શકાય નહીં, તેમણે નોંધ્યું હતું કે તેઓ ગાંધી, નેહરુ, ફુલે અને આંબેડકરની વિચારધારાને માનનારા વ્યક્તિઓને સાથે લેવા તૈયાર છે.

તાજેતરના ભૂતકાળમાં કાકા-ભત્રીજાની જોડી વિવિધ પ્રસંગોએ વારંવાર થતી મુલાકાતોને કારણે અજિત પવારના એનસીપી (એસપી)ના એનસીપી સાથે સંભવિત જોડાણ અંગે અટકળોને વેગ મળ્યો હતો.

આપણ વાંચો: સ્થાપના દિવસઃ શરદ પવારે એનસીપીના ભાગલા મુદ્દે આપ્યું ચોંકાવનારું નિવેદન, જાણો શું કહ્યું?

અહીં બોલતા તેમણે કોઈએ હમણાં જ બધાને સાથે લેવાની જરૂરિયાતનો ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે બધાને સાથે લેવામાં કોઈ સમસ્યા નથી, પરંતુ બધા કોણ છે? હું ગાંધી-નેહરુ, ફુલે અને આંબેડકરની વિચારધારાને માનનારા વ્યક્તિઓને સાથે લેવા તૈયાર છું, એમ પીઢ રાજકારણીએ કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે કેટલાક વ્યક્તિઓએ તેમના દ્વારા સ્થાપિત પાર્ટી (એનસીપી) છોડી દીધી છે અને હવે નવા લોકો જોડાઈ રહ્યા છે.

‘દરેક વ્યક્તિનો અર્થ એ હતો કે જેઓ ગાંધી, નેહરુ, જ્યોતિબા ફુલે અને બી.આર. આંબેડકરની વિચારધારાને માનતા હતા. જો તેઓ આ વિચારધારામાં માને છે અને તેનું પાલન કરે છે તો હું તેમને સ્વીકારી શકું છું.’

આપણ વાંચો: ‘આંતરરાષ્ટ્રીય મુદ્દાઓ પર…’, સર્વપક્ષી પ્રતિનિધિમંડળને ‘બારાત’ કહેનારા સંજય રાઉતના શરદ પવારે કાન આમળ્યા

‘જોકે, જો કોઈ સત્તા માટે ભાજપ સાથે જઈ રહ્યું છે, તો તે કોંગ્રેસની વિચારધારા નથી. કોઈ પણ સાથે જોડાણ કરી શકે છે, પરંતુ ભાજપનો પક્ષ લેવો કોંગ્રેસની વિચારધારા સાથે સુમેળમાં ન હોઈ શકે,’ એમ તેમણે કહ્યું હતું.

પવારે કહ્યું કે આવું કરવું ‘તકવાદની રાજનીતિ’ને પ્રોત્સાહન આપવા સમાન ગણી શકાય. ‘આપણે આવું કરી શકાય નહીં.’
તેમણે પક્ષના કાર્યકરોને અપીલ કરી કે તેઓ પક્ષ છોડી ગયેલા નેતાઓની ચિંતા કરવાનું બંધ કરે અને સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે તૈયારી કરે.

‘મેં મારી કારકિર્દીમાં ઘણી વખત આવી સ્થિતિઓ જોઈ છે,’ એમ તેમણે ઉમેર્યું હતું.
પવારે કહ્યું કે તેઓ સામાન્ય લોકોના રાજકીય શાણપણ પર વિશ્ર્વાસ રાખે છે અને ભારપૂર્વક જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી સામાન્ય માણસના સામૂહિક અંતરાત્માને કારણે અકબંધ રહી છે, રાજકીય નેતાઓને કારણે નહીં.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button