આમચી મુંબઈ

શરદ પવારના 85મા જન્મદિવસની ઉજવણી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે શુક્રવારે પીઢ રાજકારણી અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શરદ પવારને તેમના 85મા જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.

‘વરિષ્ઠ નેતા શરદ પવારજીને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ! તમને લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની શુભેચ્છાઓ!,’ એવા શબ્દોમાં ફડણવીસે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર એક પોસ્ટમાં લખ્યું હતું.

આપણ વાચો: મુંબ્રામાં પાકિસ્તાન તરફી સૂત્રોચ્ચાર:શરદ પવાર જૂથના કાર્યકર વિરુદ્ધ ગુનો દાખલ…

નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ પવારને શુભેચ્છાઓ પાઠવવા માટે ફોન કર્યો હતો અને એવી આશા વ્યક્ત કરી હતી કે એનસીપી (એસપી)ના વડા સારા સ્વાસ્થ્ય અને લાંબા આયુષ્યથી આશીર્વાદિત થાય. તેમણે કહ્યું હતું કે પવારનું માર્ગદર્શન બધાને લાભદાયક રહેશે.

શિંદેએ એવી શુભેચ્છા પાઠવી હતી કે પવાર ‘વર્ષોની સદી પૂર્ણ કરે’ ઘણા દાયકાઓથી જાહેર જીવનમાં તેમના યોગદાનને પ્રકાશિત કરે છે. શિવસેના (યુબીટી)ના નેતા આદિત્ય ઠાકરેએ પણ એક્સ પર એક પોસ્ટ દ્વારા પવારને તેમના જન્મદિવસની શુભેચ્છા આપી હતી.

બીજી તરફ રાજ્યના વરિષ્ઠ નેતાઓ સવારથી જ મુંબઈના વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં તેમને શુભેચ્છા આપવા ઉમટી પડ્યા હતા. બીજી તરફ એનસીપીના કાર્યકરો અને નેતાઓને મળવા શરદ પવાર પોતે વાય.બી. ચવ્હાણ સેન્ટરમાં હાજર રહ્યા હતા.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button