આમચી મુંબઈમનોરંજન

સલમાન ખાને શેર કર્યો પ્લેનનો ‘ડરામણો અનુભવ’: પ્લેન ક્રેશ મુદ્દે વ્યક્ત કર્યું દુઃખ

મુંબઈઃ અમદાવાદમાં થયેલી પ્લેન ક્રેશ દુર્ઘટનાએ દેશભરના લોકોને ગમગીન કર્યા છે. સૌથી કોઈ મૃતકોને શ્રદ્ધાંજલિ આપીને તેના પરિવારને સાંત્વના આપી રહ્યાં છે. આ દુર્ઘટના એટલી ભયાનક હતી કે લોકોનો આત્મા કકળી ઉઠ્યો હતો. આ દરમિયાન હવે બોલીવુડ અભિનેતા સલમાન ખાને મૃતકો માટે દુઃખ વ્યક્ત કર્યું અને પોતાનો એક કાર્યક્રમ રદ્દ કરી દીધો છે.

પ્લેન ક્રેશના મૃતકોને સલમાને આપી શ્રદ્ધાંજલિ

મૃતકો માટે દુઃખ વ્યક્ત કરવાની સાથે સાથે સલમાન ખાને એક અનુભવ પણ શેર કર્યો છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્લેનમાં સલમાન ખાનને એક ડરામણો અનુભવ થો હતો જે ઘટનાને આજે અભિનેતાએ યાદ કરી છે.

ફેબ્રુઆરીમાં સલમાન ખાન સોનાક્ષી સિન્હા અને તેના નાના ભાઈ સોહેલ ખાન સાથે એક એવોર્ડ શોમાંથી પાછો આવી રહ્યો હતો. જ્યારે સલમાન ખાન વિમાનમાં સફર કરી રહ્યો હતો ત્યારે વિમાન ભારે તોફાન વચ્ચેથી પસાર થયું હતું. ચોંકાવનારી વાત એ છે તેની ફ્લાઈટે 45 મિનિટ સુધી તેજ તોફાન વચ્ચે રહી હતી.

આપણ વાંચો: આવો છે ભારતનો પ્લેન ક્રેશ દુર્ઘટનાનો કાળો ઈતિહાસ…

હસતા હતા અને અચાનક વિમાનમાં મુશ્કેલી આવી

આ ઘટનાને યાદ કરતા સલમાન ખાને કહ્યું કે, ‘આ દિવસ ખૂબ જ ડરામણો હતો. અમે આઈફા શ્રીલંકાથી પાછા આવી રહ્યાં હતા. બધા હસી રહ્યા હતા અને અચાનક વિમાન હલવા લાગ્યું હતું. પહેલા તો લાખ્યું કે બધુ બરોબર છે પરંતુ પછી હાલત વધારે ખરાબ થઈ ગઈ હતી.

જ્યારે મેં સોહેલ સામે જોયું ત્યારે તે ઊંઘી રહ્યો હતો’. વધુમાં સલમાને કહ્યું કે, જ્યારે તેણે એર હોસ્ટેસને પ્રાર્થના કરતા જોઈએ ત્યારે હાલત ખૂબ જ ખરાબ થઈ અને ડરી ગયો હતો.

આપણ વાંચો: પ્લેન ક્રેશ દુર્ઘટનામાં મૃતકોના પરિવારજનો પહોંચ્યા સિવિલ, માતાની શોધખોળ કરી રહ્યો છે આ પુત્ર

45 મિનિટ પછી પ્લેન ડોલતું બંધ થયુંઃ સલમાન ખાન

આ દરમિયાન સલામન ખાનને લાગ્યું કે, હાલત વધારે ગંભીર છે. એર હોસ્ટેસ સાથે પાયલોટ પણ ટેન્શનમાં દેખાઈ રહ્યો હતો. સલમાને કહ્યું કે જ્યારે ઓક્સીજન માસ્ક નીચે પડ્યાં ત્યારે મને લાગ્યું કે, આવું તો મે માત્ર ફિલ્મોમાં જ જોયું છે.

45 મિનિટ પછી પ્લેન ડોલતું બંધ થયું ત્યારે લોકોએ રાહતનો શ્વાસ લીધો પરંતુ પછી ફરી 10 મિનિટ માટે આવું થયું હતું. અમદાવાદની પ્લેન દુર્ઘટના માટે દુઃખ વ્યક્ત કર્યું અને પોતાનો ડરામણો અનુભવ શેર કર્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.
Back to top button