આમચી મુંબઈ

પાલઘરમાં ફરી મરાઠીવાદઃ રિક્ષાચાલકને શિવસેનાના કાર્યકરોએ માર માર્યો

મુંબઈઃ મહારાષ્ટ્રમાં ભાષા વિવાદને લીધે ગમે ત્યારે હિંસક ઘટનાઓ પણ ઘટતી હોય છે. તાજેતરમાં જ મીરા-ભાયંદરમાં એક વેપારીને માર મારવાની ઘટના ઘટી હતી, હવે પાલઘરમાં એક રિક્ષા ચાલકને શિવસેના (યુબીટી)ના કથિત કાર્યકરોએ માર માર્યો હોવાનું બહાર આવ્યું છે. જોકે આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે, પરંતુ કોઈ સત્તાવાર પોલીસ ફરિયાદ થઈ નથી.

મળતી માહિતી અનુસાર પાલઘરમાં આ રિક્ષાવાળાએ અગાઉ મરાઠી ભાષા અને સંસ્કૃતિ વિશે અજુગતું બોલ્યું હતું. શિવસેનાના કાર્યકરોએ તેને માર માર્યો હતો અને તેની પાસે માફી પણ મંગાવી હતી.

આ પણ વાંચો: ઠાકરે મહારાષ્ટ્રના નથી, મગધથી આવ્યા છે, હવે મરાઠી મુદ્દે રાજકારણ કરે છે: શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ

આ અંગે પોલીસ અધિકારીએ મીડિયાને આપેલી માહિતી અનુસાર આ ઘટના શનિવારે બની હતી, પરંતુ બન્ને પક્ષમાંથી કોઈએ ફરિયાદ નોંધાવી નથી.

થોડા દિવસો પહેલા પ્રાથમિક ધોરણોમાં હિન્દી ભાષા ફરજિયાત બનાવવાનો સખત વિરોધ થયો હતો અને રાજ્ય સરકારે આ નિર્ણિય પરત ખેંચવો પડ્યો હતો. મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવી રહી હોવાથી ફરી મરાઠી માણૂસનો મુદ્દો ઊભો કરવામાં આવી રહ્યો હોવાના આક્ષેપો પણ થાય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Pooja Shah

જેમણે મહારાષ્ટ્ર અને ગુજરાતના રાજકીય અને વહીવટી તંત્ર સહિત ઘણા વિષયોનું રિપોર્ટિંગ કર્યું છે, ફિલ્મજગત, સાહિત્યજગત અને રાજકારણીઓના ઈન્ટરવ્યુ કર્યા છે. વિવિધ વિષયો પર લેખ લખ્યા છે. એક દાયકા કરતા વધારે સમયનો પત્રકારત્વનો અનુભવ ધરાવે છે.
Back to top button