આમચી મુંબઈલોકસભા સંગ્રામ ૨૦૨૪

મતદાન કેન્દ્રોમાં મોબાઇલ લઈ જવાનો હો તો આ સમાચાર વાંચી લેજો!

મુંબઈ: લોકસભા ચૂંટણી (Lok Sabha Election 2024)માં સુરક્ષાના પગલે મતદારોને મતદાન કેન્દ્રમાં મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વરિષ્ઠ અધિકારીઓએ તેનો કડક અમલ કરવા સૂચના આપી છે.

મુંબઈમાં ૨૫૨૦ મતદાન કેન્દ્રો છે. મતદાન કેન્દ્રની ૧૦૦ મીટરની અંદર મોબાઈલ અથવા વાયરલેસ ઉપકરણો લઈ જવા પર પ્રતિબંધ છે. આ ઉપરાંત આ વિસ્તારમાં બેનરો, લાઉડ સ્પીકર, મેગાફોનનો ઉપયોગ કરવા પર પણ પ્રતિબંધ છે. ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ અકબર પઠાણે બુધવારે આ સંદર્ભમાં આદેશ જારી કર્યો હતો.

આ આદેશો ૨૦ મેના રોજ સવારે ૬ વાગ્યાથી રાતે ૧૨ વાગ્યા સુધી અમલમાં રહેશે. મતદાન પ્રક્રિયામાં ખલેલ પહોંચાડવા, મતદાન મથકો પર શાંતિ ભંગ કરવા અને કાયદો અને વ્યવસ્થાની સમસ્યા ઊભી કરવા માટે મોબાઈલનો દુરુપયોગ થવાની શક્યતા છે. તેથી, મતદાનના દિવસે, મતદાન મથકો પર મોબાઈલ ફોન લઈ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ ઉપરાંત, મતદાન વિસ્તારમાં મતદારો અને ચૂંટણી પંચના અધિકારીઓ સિવાય અન્ય કોઈ વ્યક્તિ અવરજવર ન કરે તેનું ધ્યાન રાખવામાં આવશે. જો તેમ કરતા જણાશે તો તેની સામે કાર્યવાહી કરવાની જાણ પોલીસને કરવામાં આવી છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત