શિવસેનામાં ભાગલા પાછળ રશ્મિ વહિની, ઉદ્ધવ ઠાકરે: શિંદ સેનાના પ્રધાનનો ગંભીર આક્ષેપ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: 2022માં શિવસેનામાં એકનાથ શિંદેએ જે બળવો કર્યો તે શિવસેનાના ઈતિહાસમાં સૌથી મોટો બળવો તરીકે નોંધાયો છે. એકનાથ શિંદેએ શિવસેના છોડી ન હતી, પરંતુ શિવસેનાને લઈને સીધા ઉદ્ધવ ઠાકરેને પડકાર ફેંક્યો હતો. એકનાથ શિંદે નારાજ હતા કે ઉદ્ધવ ઠાકરે મહા વિકાસ આઘાડીમાં કોંગ્રેસમાં જોડાઈને મુખ્ય પ્રધાન બન્યા. અઢી વર્ષ પછી, એકનાથ શિંદેએ શિવસેનાથી અલગ થઈને બળવો કર્યો. તેમને 40 વિધાનસભ્યોનો ટેકો મળ્યો. હવે ભરત ગોગાવલેએ એવો દાવો કર્યો છે કે શિવસેનામાં ભાગલા પાછળ રશ્મિ ઠાકરેનો હાથ હતો.
પડદા પાછળ શિવસેનામાં રશ્મિ ભાભીની ઘણી દખલગીરી હતી. ઉદ્ધવ ઠાકરેના મનમાં કેટલીક બાબતો હતી, પરંતુ પછીથી પરિસ્થિતિ બદલાઈ ગઈ હતી. જ્યારે અમે માતોશ્રી કે વર્ષા પર જતા હતા, ત્યારે અમને મુલાકાત મળતી નહોતી. શિવસેનાના ભાગલા પડવાના ઘણા કારણો છે, પરંતુ ભાભીની દખલગીરી પણ એક મહત્ત્વનું કારણ છે. જો તમે (ઉદ્ધવ ઠાકરે) પ્રામાણિકપણે કામ કરનારાઓને બાજુ પર રાખશો, તો આ ચોક્કસ થશે, એમ ભરત ગોગાવલેએ રવિવારે જણાવ્યું હતું.
નારાયણ રાણે અને છગન ભુજબળ શિવસેનામાં પાછા આવવા માંગતા હતા. નારાયણ રાણેના કેટલાક મિત્રો અને હું કેટલીક ચર્ચા કરી રહ્યા હતા. અમે બધાએ કહ્યું કે જો નારાયણ રાણે આવી રહ્યા છે, તો તેમને આવકારવા જોઈએ. જ્યારે તેઓ મુખ્ય પ્રધાન હતા, ત્યારે તેમણે કોંકણમાં લોકોને ખૂબ મદદ કરી હતી. અમે, ઘણા શિવસૈનિકોએ કહ્યું કે નારાયણ રાણે શિવસેનામાં આવવા જોઈએ, પરંતુ મને ખબર નથી કે માખી ક્યાં છીંકી ગઈ. ઉદ્ધવ ઠાકરે બીમાર પડ્યા ત્યારે રાજ ઠાકરે પણ માતોશ્રી ગયા હતા. ત્યારે અમને લાગ્યું હતું કે ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરે સાથે આવશે, પણ ત્યારે પણ એવું ન થયું.
અમે સમજી ગયા કે જો બાળાસાહેબ ઠાકરેની શિવસેનાને બચાવવા એકનાથ શિંદે સાથે જવું પડશે, તેથી જ અમે શિવસેના સાથે આગળ આવ્યા, એમ જણાવતાં ભરત ગોગાવલેએ કહ્યું હતું કે, પ્રમોદ નવલકર, નારાયણ રાણે, સુધીર જોશી, મનોહર જોશી આ બધા દિગ્ગજોએ બાળાસાહેબ ઠાકરે સાથે ખભે ખભા મિલાવીને કામ કર્યું હતું. જ્યારે સંગઠન એટલું મોટું ન હતું, ત્યારે તેમણે શિવસેનાને મજબૂત બનાવી હતી. જો તેઓ ફરીથી સાથે લેવામાં આવ્યા હોત તો શું ખોટું થયું હોત?
રાજકારણ ક્યારે કેવો વળાંક લેશે તે કહી શકાય નહીં. જીતનાર ટીમ હારે છે, હારનાર ટીમ જીતે છે. પરંતુ અમારો સંપૂર્ણ વિશ્ર્વાસ એકનાથ શિંદેમાં છે. એકનાથ શિંદે જે પણ નિર્ણય લેશે તે અમે સ્વીકારીશું. ભાજપ અને અમારું ટ્યુનિંગ સુમેળમાં છે. બાળ ઠાકરેનો સિદ્ધાંત હતો કે ગમે તે થાય, આપણે હિન્દુત્વ છોડવું જોઈએ નહીં એમ જણાવતાં ભરત ગોગાવલેએ કહ્યું હતું કે એકનાથ શિંદેએ પણ આ જ સિદ્ધાંતનું પાલન કર્યું છે. ભરત ગોગાવલેએ થોડા સમય પહેલા એક મરાઠી ન્યૂઝ ચેલન સાથે વાતચીત કરતી વખતે આ નિવેદન આપ્યું હતું.
આ પણ વાંચો…અજિત પવારના ભાષણમાં બચ્ચુ કડુના સમર્થકોના સૂત્રોચ્ચાર…