આમચી મુંબઈ

… તો Borilvali-Churchgate વચ્ચે મહિલાઓનો પ્રવાસ બનશે આરામદાયક!

મુંબઈઃ મુંબઈની લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરવો અને એમાં પણ ખાસ કરીને સવારે અને સાંજે ધસારાના સમયે પ્રવાસ કરવો એ તો એક ટાસ્ક છે. વિરારથી આવનારી લોકલ ટ્રેનમાં બોરીવલીથી ચઢવું મુશ્કેલ છે. આને ધ્યાનમાં લઈને મહિલાઓ માટે બોરીવલી-ચર્ચગેટ વચ્ચે લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માંગણી રેલવે પ્રવાસી સંગઠન દ્વારા કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: સાત લોકલ ટ્રેન સ્ટેશનોના નામ બદલવાનો ઠરાવ વિધાન પરિષદમાં મંજૂર

પશ્ચિમ રેલવેના બોરીવલી સ્ટેશન પર આ માટે એક કેમ્પેઈન પણ ચલાવવામાં આવી રહ્યું છે અને જો પશ્ચિમ રેલવે દ્વારા આ લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવશે તો બોરીવલી-ચર્ચગેટ વચ્ચે પ્રવાસ કરી રહેલી મહિલા પ્રવાસીઓને રાહત થશે.

આ પણ વાંચો: લોકલ ટ્રેનોમાં પ્રવાસ કરતા લોકોની સ્થિતિ ઢોર કરતાય દયનીયઃ હાઇ કોર્ટ

હાલમાં ધસારાના સમયે બોરીવલીથી લોકલ ટ્રેનમાં ચઢવું પ્રવાસીઓ માટે અઘરું છે અને મહિલા પ્રવાસીઓની આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની માગણી રેલવે પ્રવાસી સંગઠનો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. જો પશ્ચિમ રેલવે આ લેડિઝ સ્પેશિયલ ટ્રેન દોડાવવાની મંજૂરી આપવામાં આવશે તો મહિલા પ્રવાસીઓનો પ્રવાસ આરામદાયક બનશે, એવો વિશ્વાસ વ્યક્ત કરાઈ રહ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…