Rahul Gandhi Gets Bail in Savarkar Defamation Case

સાવરકર માનહાનિ કેસ: વર્ચ્યુઅલ સુનાવણી પછી રાહુલ ગાંધીને પુણે કોર્ટમાંથી જામીન મળ્યા…

પુણે: પુણેની વિશેષ અદાલતે સાવરકર માનહાનિ કેસમાં કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીને જામીન આપ્યા હતા. સાવરકર માનહાનિ કેસની વર્ચ્યુઅલ સુનાવણી પછી રાહુલ ગાંધીને પુણે કોર્ટમાંથી જામીન મળ્યા.

આ પણ વાંચો : દિલ્હીમાં દૂર દૂર સુધી દેખાય નહીં એટલું ધુમ્મસઃ જાણો ગુજરાત-મહારાષ્ટ્રમાં કેવું છે હવામાન

પુણેની ખાસ એમપી એમએલએ કોર્ટે કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીને સાવરકર માનહાનિ કેસમાં જામીન આપ્યા હતા. તેઓ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કોર્ટમાં હાજર થયા હતા.

25,000 રૂપિયાના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. કોંગ્રેસના જ્યેષ્ઠ નેતા મોહન જોશી કોર્ટમાં જામીન તરીકે હાજર રહ્યા હતા. ગાંધીનું પ્રતિનિધિત્વ કરતા એડવોકેટ મિલિંદ પવારે જણાવ્યું હતું કે પુણે કોર્ટે પણ કોંગ્રેસના સાંસદને હાજર રહેવાથી કાયમી મુક્તિ આપી છે. આ મામલાની આગામી સુનાવણી 18 ફેબ્રુઆરીના રોજ થવાની છે.

માર્ચ 2023માં લંડનમાં તેમના ભાષણ દરમિયાન કોંગ્રેસ નેતા દ્વારા સાવરકર વિરુદ્ધ કથિત વાંધાજનક નિવેદન આપવામાં આવ્યા બાદ, વિનાયક દામોદર સાવરકરના પૌત્ર સાત્યકી સાવરકરે રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો.

ભાષણમાં, રાયબરેલીના સાંસદે કથિત રીતે કહ્યું હતું કે વીર સાવરકરે એક પુસ્તકમાં એક ઘટના વિશે લખ્યું હતું જ્યાં તેમણે તેમના મિત્રો સાથે મળીને એક મુસ્લિમ વ્યક્તિને માર માર્યો હતો, અને સાવરકર તેનાથી ‘ખુશ’ થયા હતા.

આ પણ વાંચો : પરેલ સ્ટેશન પાસે 78 વૃક્ષો કાપવાને લઈને વિવાદ ઘેરાયો, મુંબઈગરા નારાજ

સાવરકરના ભત્રીજાએ આ આરોપોને ફગાવી દીધા અને તેમને ‘ખોટા, કાલ્પનિક અને દ્વેષપૂર્ણ’ ગણાવ્યા હતા. તેમણે એમ પણ ભારપૂર્વક જણાવ્યું હતું કે સાવરકરે આવું કંઈ લખ્યું નહોતું અને આવી ઘટના ક્યારેય બની ન હતી. તેમની ફરિયાદમાં તેમણે એવો ઉલ્લેખ કર્યો હતો કે, રાહુલ ગાંધીના નિવેદનો તેમના પરદાદાની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી રહ્યા છે.

Back to top button