આમચી મુંબઈ

પુણેમાં શિવસૃષ્ટિ થીમ પાર્કના સાઇનબોર્ડ પર લઘુશંકા: પ્રૌઢ વિરુદ્ધ ગુનો

પુણે: પુણેના આંબેગાવ બુદ્રુક ખાતે છત્રપતિ શિવાજી મહારાજને સમર્પિત શિવસૃષ્ટિ થીમ પાર્કના પ્રવેશદ્વાર પર ગોઠવવામાં આવેલા સાઇનબોર્ડ પર લઘુશંકા કરવા બદલ 59 વર્ષના પ્રૌઢ વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.

નવનાથ અમરાળેની ફરિયાદને આધારે ભારતી વિદ્યાપીઠ પોલીસે અમોલ અરુણ કુલકર્ણી (59) વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.

આ પણ વાંચો: સરકારી ડોક્ટર ઑડિયો ક્લિપમાં સહકર્મીને કોવિડ-19ની દર્દીને ‘મારી નાખવા’નું કહેતા સંભળાયા: ગુનો દાખલ

ફરિયાદી શનિવારે મળસકે તેના મિત્ર સાથે ઘરે પાછો જઇ રહ્યો હતો ત્યારે તેણે એક શખસને શિવસૃષ્ટિના પ્રવેશદ્વાર પર ગોઠવાયેલા સાઇનબોર્ડ પર લઘુશંકા કરતા જોયો હતો. તેણે આ વિશે શખસને પૂછતાં તેણે તોછડાઇથી કહ્યું હતું કે તને જે કાંઇ કરવું હોય તે કરી લે. એ શખસની પત્ની પણ ઘટનાસ્થળે હાજર હતી, એવું ફરિયાદમાં જણાવાયું હતું.

દરમિયાન ફરિયાદી તથા અન્યો કુલકર્ણીને પોલીસ સ્ટેશનમાં લઇ આવ્યા હતા, જ્યાં મરાઠા સંગઠનના કાર્યકરો પણ આવી પહોંચ્યા હતા અને આરોપી સામે પગલાં લેવાની માગણી તેમણે કરી હતી.

કુલકર્ણી અને તેની પત્ની વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની કલમ 299 (ધાર્મિક લાગણી દુભવતું કૃત્ય) અને 3 (5) (સમાન હેતુ) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.

(પીટીઆઇ)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button