ગુનેગારોને પકડવાની જવાબદારી સરકારની છે: પૃથ્વીરાજ ચવ્હાણ | મુંબઈ સમાચાર

ગુનેગારોને પકડવાની જવાબદારી સરકારની છે: પૃથ્વીરાજ ચવ્હાણ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પૃથ્વીરાજ ચવ્હાણે ગુરુવારે કહ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પુરાવા રજૂ કરવાની જવાબદારી કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રીય તપાસ એજન્સીની છે.

મુંબઈની એક ખાસ અદાલતે આ કેસમાં તમામ સાત આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા બાદ બોલતાં તેમણે નોંધ્યું હતું કે તેમની સામે ‘કોઈ વિશ્ર્વસનીય અને મજબૂત પુરાવા’ નહોતા.

‘મહારાષ્ટ્ર એટીએસ (એન્ટિ-ટેરરિઝમ સ્ક્વોડ)એ બ્લાસ્ટ કેસની તપાસ કરી અને ચાર્જશીટ દાખલ કરી. 2011માં, એનઆઈએએ કેસ પોતાના હાથમાં લીધો અને 2014માં (રાજ્ય અને કેન્દ્રમાં) સરકાર બદલાઈ ગઈ.

આપણ વાંચો: માલેગાંવ બ્લાસ્ટ કેસમાં પ્રજ્ઞા ઠાકુર નિર્દોષ છૂટ્યા? NIA કોર્ટના અવલોકન, જાણો 17 વર્ષમાં શું શું બન્યું?

જો આ આરોપીઓ ગુનેગાર ન હોત તો 2014થી 2025 સુધી સરકારે કેમ તપાસ ન કરી, પરંતુ કેસ ચાલુ રાખ્યો. જો તે બનાવટી કેસ હોત, તો તેને છોડીને ફરીથી તપાસ કરી શકાઈ હોત,’ એમ ચવ્હાણે જણાવ્યું હતું.

‘કોઈએ નિર્દોષ લોકોની હત્યા કરી છે,’ એમ ચવ્હાણે ભારપૂર્વક કહ્યું હતું અને ઉમેર્યું હતું કે વાસ્તવિક ગુનેગારોને શોધવાની જવાબદારી સરકારની છે. પુરાવા રજૂ કરવાની જવાબદારી (રાજ્ય અને કેન્દ્ર) સરકારની છે, કોંગ્રેસ કે પીડિતો/પરિવારજનોની નહીં, એમ ચવ્હાણે ઉમેર્યું હતું.

આ દરમિયાન મહારાષ્ટ્રના બંદર અને મત્સ્યોદ્યોગ ખાતાના પ્રધાન અને ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ કહ્યું હતું કે જેમણે ‘ભગવા આતંકવાદ’ની વાત કરી હતી તેમણે હાથ જોડીને હિન્દુ સમાજની માફી માગવી જોઈએ અને નિર્દોષ છૂટેલા લોકોના પગ પર નાક ઘસવા જોઈએ જેમના 17 વર્ષ આ લોકોને કારણે વેડફાઈ ગયા હતા.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button