આમચી મુંબઈમહારાષ્ટ્ર

આર્થિક તંગી વચ્ચે મુંબઈ સંસદ પ્રાક્કલન સમિતિની ચકાચોંધ ઉજવણીથી રાજકારણ ગરમાયું, કોંગ્રેસે લગાવ્યા ગંભીર આક્ષેપો

મુંબઈ: સંસદ પ્રાક્કલન સમિતિને 75 વર્ષ પૂર્ણ થયાની ઉજવણી માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ બેઠક મુંબઈમાં યોજાઈ હતી. પરંતુ સંસદની પ્રાક્કલન સમિતિની પ્લેટિનમ જુબિલીની બેઠક ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ બેઠકમાં કામકાજની ચર્ચા સાથે જોરદાર ખર્ચ કરવાના કારણે આ બેઠક વિવાદ સર્જ્યો છે. મહારાષ્ટ્ર કોંગ્રેસ અને સામાજિક કાર્યકરોએ આ આયોજન પર સરકારની ટીકા કરી છે, જેમાં રાજ્યની આર્થિક મુશ્કેલીઓ વચ્ચે ફિજૂલખર્ચીનો આરોપ લગાવવામાં આવ્યો છે.

આ બેઠક મુંબઈના વિધાન ભવનમાં બે દિવસ સુધી ચાલી, જેનું ઉદ્ઘાટન લોકસભા અધ્યક્ષ ઓમ બિરલાએ કર્યું. રિપોર્ટ્સ અનુસાર, દેશભરમાંથી આશરે 600 મહેમાનો આવ્યા હતા. આ તમામ મહેમાનોની સારી આગતા સ્વાગતા સાથે અહી દરેક મહેમાનો ચાંદીની થાળીમાં રૂપિયા 5000નું ભોજન પીરસવામાં આવ્યું હતું. ઉલ્લેખનીય વાત એ છે કે આ ચાંદીની થાળીઓ 550 રૂપિયાના ભાડે લેવામાં આવી હતી. આ ઉપરાંત, એસી ટેન્ટ, ઝુમ્મર, લાલ કાર્પેટ અને આલીશાન હોટલોની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી.

કોંગ્રેસની ટીકા

મહારાષ્ટ્ર કોંગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે આ ખર્ચ પર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું, “રાજ્યની આર્થિક સ્થિતિ ખરાબ છે, ખેડૂતોની લોન માફી અને કલ્યાણકારી યોજનાઓ માટે પૈસા નથી, પરંતુ મહેમાનો પર લાખો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે.” કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ હર્ષવર્ધન સપકાળે પણ આ મુદ્દે સરકારની ટીકા કરી અને આયોજનના ખર્ચના ક્યાંથી આવ્યો તેની તપાસની માંગ કરી.

આ મામલો સોશિયલ મીડિયામાં ગરમાયો છે. જેના પર તમામ લોકો ખુલીને મંતવ્ય આપી રહ્યા છે. ત્યારે એક સમાજિક કાર્યકરે આ આયોજનને જનતાના પૈસાની બરબાદી ગણાવી હતી. તેમણે દાવો કર્યો કે 600 મહેમાનો પર લગભગ 27 લાખ રૂપિયા ખર્ચાયા, જેમાં ભવ્ય વ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. તેમણે સોશિયલ મીડિયા પર પણ આ મુદ્દે ટીકા કરી અને જણાવ્યું કે આવા ખર્ચથી જનતામાં રોષ વધી રહ્યો છે. તેમણે આયોજનને વિડંબના ગણાવી, કારણ કે પ્રાક્કલન સમિતિ મિતવ્યયિતાનું ઉપદેશ આપે છે.

આપણ વાંચો સાંતાક્રુઝ-ચેંમ્બુર લિંક રોડ કેબલ-સ્ટેડ બ્રિજનું કામ પૂરું:

મુંબઈમાં પ્રાક્કલન સમિતિની વિવાદાસ્પદ બેઠક

ઉલ્લેખનીય છે કે વિરોધ પક્ષની આકરી ટીકા બાદ સરકાર તરફી સૂત્રોએ જવાબ આપ્યો હતો કે, મહેમાનોને ચાંદીની નહીં, પરંતુ ચાંદીની પરતવાળી થાળીઓમાં ભોજન પીરસાયું હતું, અને ખાણીપીણીનો ખર્ચ પ્રતિ વ્યક્તિ 4,000 રૂપિયાથી ઓછો હતો. જોક વિધાનમંડળ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી, પરંતુ આ વિવાદે સરકારની પ્રાથમિકતાઓ પર સવાલો ઉભા કર્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button