આમચી મુંબઈ

આવતીકાલે લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો? પહેલાં આ વાંચી લે જો…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ લોકલ ટ્રેન એ મુંબઈ અને મુંબઈગરાઓની લાઈફલાઈન છે, કારણ કે રોજ લાખો મુંબઈગરા આ લોકલ ટ્રેનમાં પ્રવાસ કરે છે. હવે આ લોકલ ટ્રેનના સિગ્નલ મેઈન્ટેનન્સ અને બીજા ટેક્નિકલ વર્ક માટે મેગા બ્લોક હાથ ધરવામાં આવશે.

વતીકાલે મધ્ય રેલવે, હાર્બર લાઈન અને પશ્ચિમ રેલવે એમ ત્રણેય લાઈન પર બ્લોક હાથ ધરવામાં આવશે.
મળી રહેલી માહિતી પ્રમાણે રવિવારે મધ્ય રેલવે પર સીએસએમટી વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લાઈન પર જ્યારે હાર્બર લાઈન પર પનવેલ- વાશી અપ લાઈન અને પશ્ચિમ રેલવે પર ચર્ચગેટ-મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે

મધ્ય રેલવે પર સીએસમટી-વિદ્યાવિહાર વચ્ચે સવારે 11થી બપોરે 4 વાગ્યા સુધી અપ-ડાઉન સ્લો લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન સીએસએમટી-વિદ્યાવિહાર વચ્ચે અપ-ડાઉન સ્લો લોકલ ટ્રેનો અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે. દરમિયાન આ લોકલ ટ્રેનોને કુર્લા, સાયન, માટુંગા, દાદર, પરેલ અને ભાયખલા સ્ટેશન પર હોલ્ટ આપવામાં આવશે.

હાર્બર લાઈન પર સવારે 11થી બપોરે ચાર વાગ્યા સુધી પનવેલ-વાશી વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. દરમિયાન પનવેલથી સીએસએમટી જતી અપ લાઈન પરની લોકલ ટ્રેનો અને સીએસએમટીથી પનવેલ, બેલાપુર માટે રવાના થતી ડાઉન લોકલ ટ્રેનો રદ રહેશે. પનવેલથી થઆણે માટે અને થાણેથી પનવેલ માટે રવાના થનારી લોકલ ટ્રેનો નિયત સમય પ્રમાણે દોડાવવામાં આવશે.

પશ્ચિમ રેલવે પર સવારે સાડાદસ વાગ્યાથી બપોરે સાડાત્રણ વાગ્યા સુધી ચર્ચગેટથી મુંબઈ સેન્ટ્રલ વચ્ચે અપ-ડાઉન લાઈન પર મેગા બ્લોક હાથ ધરવામાં આવશે. આ સમયગાળા દરમિયાન અપ-ડાઉન સ્લો લોકલ અપ-ડાઉન ફાસ્ટ લાઈન પર દોડાવવામાં આવશે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker