આમચી મુંબઈ

ભાયખલા ઝૂમાં પેંગ્વિન બન્યા ‘મોંઘા’ મહેમાન: 5 વર્ષમાં ₹ 25 કરોડનો ખર્ચ!

મુંબઈ: ભાયખલામાં આવેલા વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં રાખવામાં આવેલા પેંગ્વિનની જાળવણી માટે છેલ્લા પાંચ વર્ષમાં રૂ. ૨૫.૮૩ કરોડ ખર્ચાયા છે. જોકે પ્રાણી સંગ્રહાલયની જાળવણી માટે કુલ ખર્ચ રૂ. ૧૦૫.૫૯ કરોડ થયો છે. આમ માત્ર પેંગ્વિનની જાળવણી માટે પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓએ કુલ જાળવણી ખર્ચના લગભગ એક ચતુર્થાંશ ખર્ચ કર્યો છે.

મુંબઈના વીરમાતા જીજાબાઈ ભોંસલે ઉદ્યાનમાં હમ્બોલ્ટ પેન્ગ્વિન નિઃશંકપણે સૌથી મોટું આકર્ષણ છે. જો કે, આ આકર્ષણ પ્રાણી સંગ્રહાલયના અધિકારીઓ માટે ભારે ખર્ચાળ સાબિત થઇ રહ્યુ છે. અધિકારીઓ દર વર્ષે પેન્ગ્વિનની જાળવણી પાછળ કરોડો રૂપિયા ખર્ચ કરે છે.

આપણ વાંચો: રાણીબાગમાંના માછલીઘરનાં ટેન્ડરમાં ગડબડ:

પ્રાણી સંગ્રહાલયના ડિરેક્ટરની ઓફિસ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, પ્રાણી સંગ્રહાલયે છેલ્લા પાંચ વર્ષમાં પ્રાણી સંગ્રહાલયની જાળવણી પાછળ ૧૦૫.૫૯ કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે. જેમાં અનેક પ્રકારના ખર્ચનો સમાવેશ થાય છે અને પેંગ્વિનની જાળવણી માટે ૨૫.૮૩ કરોડ રૂપિયાની નોંધપાત્ર રકમ ખર્ચવામાં આવી છે.

આ ઉપરાંત બગીચાઓના જાળવણી માટે ૩૧. ૨૦ કરોડ રૂપિયા, હાઉસકીપિંગ માટે ૨૭.૧૧ કરોડ રૂપિયા અને વ્યાપક સેવા જાળવણી કરાર માટે ૨૧.૪૮ કરોડ રૂપિયા ખર્ચ્યા છે, જેમાં લાઇફ સપોર્ટ સિસ્ટમ અને ઇલેક્ટ્રિકલ કાર્યો જેવી વિવિધ સુવિધાઓના જાળવણીનો સમાવેશ થાય છે.

જોકે, આ પક્ષીઓની ખર્ચાળ જાળવણી અને સંભાળને કારણે કોઈ ખરીદદાર આકર્ષાયા નથી, જેના કારણે વર્તમાન સુવિધામાં તેમના માટે જગ્યા ઘટતી જવાની ચિંતા વધી રહી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button