પવાર પરિવાર રાજકારણ ભૂલી એક થયો: યુગેન્દ્રની સગાઈમાં શરદ-અજિત-સુપ્રિયા સાથે | મુંબઈ સમાચાર

પવાર પરિવાર રાજકારણ ભૂલી એક થયો: યુગેન્દ્રની સગાઈમાં શરદ-અજિત-સુપ્રિયા સાથે

મુંબઈઃ રાજકીય મતભેદો અને ઝઘડાઓ છતાં સમગ્ર પવાર પરિવારે વડા શરદ પવારના પૌત્ર યુગેન્દ્ર પવારના સગાઈ સમારોહમાં એક સાથે જોવા મળ્યો હતો. આ ખાનગી સમારોહ મુંબઈમાં યુગેન્દ્ર પવારની વાગદત્તા તનિષ્કા કુલકર્ણીના નિવાસસ્થાને યોજાયો હતો. યુગેન્દ્ર નાયબ મુખ્યમંત્રી અને એનસીપી (રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી)ના વડા અજિત પવારના નાના ભાઈ શ્રીનિવાસના પુત્ર છે.

એનસીપી (એસપી)ના વડા શરદ પવાર, નાયબ મુખ્યમંત્રી અજિત પવાર, તેમના પિતરાઈ ભાઈ સુપ્રિયા સુળે, તેમના પતિ અને બે બાળકો સાથે સગાઈ સમારોહમાં જોડાયા હતા. ૨૦૨૩માં અજિત પવારના બળવા, જેના કારણે એનસીપીમાં ભાગલા પડ્યા, તેના કારણે પારિવારિક સંબંધો પર પ્રશ્નો ઊભા થયા હતા.

આપણ વાંચો: બીડની જેમ, પુણેમાં પણ બિનજરૂરી હથિયારના લાઇસન્સ રદ કરવામાં આવશે: અજિત પવાર…

૨૦૨૪ની વિધાનસભા ચૂંટણીમાં યુગેન્દ્રને બારામતી મતવિસ્તારમાંથી તેમના કાકા અજિત પવારે હરાવ્યા હતા. અગાઉ અજિત પવારની પત્ની, સુનેત્રા પવારને લોકસભા ચૂંટણીમાં તેમની નણંદ સુપ્રિયા સુળેએ હરાવ્યા હતા.

સુળેએ કહ્યું હતું કે અજિત પવાર ભાજપની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારમાં જોડાયા પછી પણ પવાર પરિવાર વચ્ચેના પારિવારિક સંબંધો અકબંધ રહ્યા છે. થોડા મહિનાઓ પહેલા, પવાર પરિવારે પુણેમાં અજિત પવારના નાના પુત્ર, જય પવારના સગાઈ સમારોહમાં હાજરી આપી હતી.
(પીટીઆઈ)

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button