આમચી મુંબઈ

પાલઘરના રહેવાસીઓને રાહતપશ્ચિમ રેલ્વેની લાંબા અંતરની ટ્રેનોને પાલઘર ઊભી રખાશે…

મુંબઈ: છેલ્લા કેટલાક વર્ષોથી પશ્ચિમ રેલ્વેના મુસાફરો દ્વારા લાંબા અંતરની ટ્રેનોને પાલઘર સ્ટેશન પર ઊભી રાખવાની માંગ કરવામાં આવી રહી હતી. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને, પશ્ચિમ રેલ્વે પરની બે લાંબા અંતરની ટ્રેનોને પાલઘર રેલ્વે સ્ટેશન પર વધારાનો સ્ટોપ આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આનાથી પાલઘરના મુસાફરોને મોટી રાહત મળી છે.
પશ્ચિમ રેલ્વે દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર,

બાંદ્રા ટર્મિનસ-ભુજ કચ્છ એક્સપ્રેસ, ટ્રેન નંબર ૨૨૯૫૫/ ૨૨૯૫૬ અને દાદર-બિકાનેર એક્સપ્રેસ, ટ્રેન નંબર ૧૨૪૯૦ / ૧૨૪૮૯ આ બંને ટ્રેનોને પ્રાયોગિક ધોરણે પાલઘર સ્ટેશન પર રોકવાનું શરૂ કરવામાં આવ્યું છે. પશ્ચિમ રેલ્વેના બાંદ્રા ટર્મિનસથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૫૫ બાંદ્રા ટર્મિનસ – ભુજ કચ્છ એક્સપ્રેસ પાલઘર સ્ટેશન પર સાંજે ૭ વાગ્યે પહોંચશે અને સાંજે ૭.૦૨ વાગે ઉપડશે. આમ ટ્રેન પાલઘર સ્ટેશન પર બે મિનિટ માટે ઉભી રહેશે. તેવી જ રીતે, ભુજથી ઉપડતી ટ્રેન નંબર ૨૨૯૫૬ ભુજ-બાંદ્રા ટર્મિનસ કચ્છ એક્સપ્રેસ સવારે ૯.૩૪ વાગ્યે પાલઘર સ્ટેશન પર પહોંચશે અને ૯.૩૬ વાગ્યે રવાના થશે.

દાદરથી શરૂ થતી ટ્રેન નંબર ૧૨૪૯૦ દાદર – બિકાનેર એક્સપ્રેસને પાલઘર સ્ટેશન પર સાંજે ૪.૧૪ વાગ્યે પહોંચશે અને ૪.૧૬ વાગ્યે રવાના થશે. તેવી જ રીતે, ટ્રેન નંબર ૧૨૪૮૯ બિકાનેર – દાદર એક્સપ્રેસ, જે બિકાનેરથી શરૂ થાય છે, તે પાલઘર સ્ટેશન પર સવારે ૧૧.૧૨ વાગ્યે પહોંચશે અને ૧૧.૧૪ વાગ્યે રવાના થશે. આ બંને ટ્રેનો સિવાય દાદર-ભુસાવળ સ્પેશિયલ ટ્રેન (ટ્રેન નંબર ૦૯૦૫૧/૦૯૦૫૨) માર્ચ ૨૦૨૫ થી પાલઘર ખાતે ઊભી રાખવામાં આવી રહી છે.

આપણ વાંચો : પાલઘરમાં ટિકિટચેકરને ખુદાબક્ષોએ માર માર્યો, ત્રણ વિરુદ્ધ કાર્યવાહી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button