આમચી મુંબઈમહારાષ્ટ્રલોકસભા સંગ્રામ ૨૦૨૪

મહારાષ્ટ્ર લોકસભા ચૂંટણી 2024: પાલઘર લોકસભા મતવિસ્તારમાં લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કા દરમિયાન 20 મેના રોજ મતદાન થશે.

પાલઘર: પાલઘર લોકસભા મતવિસ્તાર એ મહારાષ્ટ્ર રાજ્યના 48 લોકસભા મતવિસ્તારોમાંથી એક છે. આ મતવિસ્તાર 19 ફેબ્રુઆરી 2008 ના રોજ બનાવવામાં આવ્યો હતો પાલઘર લોકસભા મતવિસ્તાર અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. તેની પ્રથમ વખત 2009માં ચૂંટણી યોજાઈ હતી અને તેના પ્રથમ સંસદ સભ્ય બહુજન વિકાસ અઘાડીના બલિરામ સુકુર જાધવ હતા.

પાલઘર લોકસભા મતવિસ્તારમાં દહાણુ, વિક્રમગઢ, પાલઘર, બોઈસર, નાલાસોપારા અને વસઈ નામના છ વિધાનસભા ક્ષેત્રોનો સમાવેશ થાય છે. પાલઘર લોકસભા મતવિસ્તારમાં 20 મેના રોજ લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં મતદાન થશે.


લોકસભા ચૂંટણી 2024ની મતગણતરી 4 જૂને થશે.

મુખ્ય સ્પર્ધા
પાલઘર લોકસભા મતવિસ્તારમાં ભાજપના હેમંત સાવરા, શિવસેના (યુબીટી)ના ભારતી કામડી અને હિતેન્દ્ર ઠાકુરની આગેવાની હેઠળની બહુજન વિકાસ અઘાડીના રાજેશ પાટીલ – ત્રણ મુખ્ય ઉમેદવારો વચ્ચે ત્રિકોણી જંગ જોવા મળશે. દરમિયાન પ્રકાશ આંબેડકરની આગેવાની હેઠળની વંચિત બહુજન અઘાડીએ વિજયા મ્હાત્રેને પણ ચૂંટણી મેદાનમાં ઉતાર્યા છે.

2019નું પરિણામ
2019ની લોકસભા ચૂંટણીમાં શિવસેનાના રાજેન્દ્ર ધેડિયા ગાવિતે 5,15,000 મતો મેળવીને વિજય મેળવ્યો હતો. તેમણે બવિઆના બલીરામ જાધવને 88,883 મત (7.4%)ના માર્જિનથી હરાવ્યા હતા. પાલઘર લોકસભા ચૂંટણી 2019માં 12,02,197 મતદાન નોંધાયું હતું.

2014નું પરિણામ
2014ની લોકસભા ચૂંટણીમાં ભાજપના ચિંતામણ વનગા 5,33,201 મતો મેળવીને વિજયી બન્યા હતા. તેમણે બવીઆના બલીરામ જાધવને 2,39,520 મતો (24.13%)થી હરાવ્યા હતા.
2014માં ભાજપના ચિંતામણ વનગાના નિધનને કારણે પેટાચૂંટણી યોજાઈ હતી. શિવસેના અને ભાજપ બંનેમાં ઉમેદવારોને લઈને ભારે મતભેદ હતા કારણ કે બંનેએ ઉમેદવારો ઉભા રાખ્યા હતા. અંતે ભાજપના રાજેન્દ્ર ધેડિયા ગાવિતનો વિજય થયો હતો.

2009ના પરિણામ
2009 માં બવિઆના બલીરામ જાધવે ભાજપના ચિંતામણ વનગાને 12,360 મતો (1.68%) ના માર્જિનથી હરાવ્યા હતા, 2009ની લોકસભા ચૂંટણીમાં જાધવે 2,23,234 મત મેળવ્યા હતા. પાલઘર લોકસભા ચૂંટણી 2009માં 7,32,587 મતદાન નોંધાયું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
જવાન દેખાવું છે? તો ઘરે જ કરો આ ઉપાય અનંત-રાધિકાના સંગીતમાં પહોંચેલી આ એક્ટ્રેસે કેમ ફાડ્યો પોતાનો જ લહેંગો? WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો?