આમચી મુંબઈ

નાશિક માર્કેટ યાર્ડમાં ડુંગળીની હરાજી શરૂ

શરૂઆતમાં ડુંગળીના ભાવ 1000 થી 2,541 પ્રતિ ક્વિન્ટલે ભાવ બોલાયા

નાસિક: મહારાષ્ટ્રના નાસિક જિલ્લાની લગભગ તમામ ખેત ઉત્પાદન બજાર સમિતિઓ એટલે કે માર્કેટ યાર્ડમાં ડુંગળી પર નિકાસ ડ્યુટીમાં વધારાના વિરોધમાં વેપારીઓ દ્વારા ડુંગળીની હરાજી સ્થગિત કરી દવામાં આવી હતી. જે 13 દિવસના અંતરાલ બાદ ફરી શ કરી દેવામાં
આવી છે.

યાર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર એશિયાના સૌથી મોટા હોલસેલ ડુંગળી બજાર લાસલગાંવ માર્કેટ યાર્ડ ખાતે મંગળવારે સવારે 545 જેટલા વાહનો આવી પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, શઆતના સત્રમાં ડુંગળીના ભાવ પ્રતિ ક્વિન્ટલ ા. 1000 થી ા. 2,541 બોલાયા હતા. અત્રે નોંધનીય છે કે ડુંગળીના વેપારીઓ અનિશ્ચિતકાળની હડતાળ પર ઉતરી ગયા હતા અને 20 સપ્ટેમ્બરના રોજ હરાજી સ્થગિત કરી હતી. સાથોસાથ નિકાસ ડ્યુટીમાં 40 ટકાના વધારાના નિર્ણયને કેન્દ્ર સરકાર પાછો ખેંચે તેવી માગ કરી હતી.

વેપારીઓએ જિલ્લાના પાલક મંત્રી દાદા ભુસે સાથેની બેઠકમાં એ શરતે હડતાળ પાછી ખેંચી હતી કે સરકાર તેમની માંગણીઓ પર એક મહિનામાં નિર્ણય લેશે. નાસિક જિલ્લા ડુંગળી વેપારી સંઘના પ્રમુખ ખાંડુ દેવરે જણાવ્યું હતું કે, વેપારીઓની માંગણીઓ મુદ્દે એક સમિતિની રચના કરવામાં આવશે અને આ અંગેનો નિર્ણય એક મહિનામાં લેવામાં આવશે તેવી શરતે હડતાળ પાછી ખેંચવામાં આવી છે. જો માંગણીઓનો કોઇ ઉકેલ નહીં આવે તો અમારે ફરીથી નિર્ણય લેવો પડશે. જો કે નંદગાંવના વેપારીઓએ હજુ હડતાળ પાછી ખેંચી નથી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
2024માં આ સેલિબ્રિટી કપલ છૂટા પડ્યા હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે…