આમચી મુંબઈમહારાષ્ટ્ર

રાજ્યસભાની એક બેઠક અજિત પવાર જૂથને: ફડણવીસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: રાજ્યસભામાં મહારાષ્ટ્રની બે બેઠકો ખાલી પડી છે, તેમાંથી એક બેઠક અજિત પવાર જૂથને આપવામાં આવશે એવી જાહેરાત કરતાં નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે ઉમેર્યું હતું કે પક્ષની સંસદીય સમિતિ આ અંગે યોગ્ય નિર્ણય લેશે.
અહીં ઉલ્લેખનીય છે કે પિયુષ ગોયલ અને ઉદયનરાજે ભોસલે લોકસભામાં ચૂંટાઈ આવ્યા હોવાથી ભાજપના ક્વોટાની મહારાષ્ટ્ર રાજ્યની બે બેઠકો રાજ્યસભામાં ખાલી પડી છે. ઉદયનરાજેની ચૂંટણી વખતે અજિત પવાર જૂથના નીતિન પાટીલને રાજ્યસભામાં મોકલવાની વાત કરવામાં આવી હતી.

એક બેઠક અજિત પવાર જૂથને આપવાની જાહેરાત કરી દેવામાં આવી હોવાથી હવે સાતારા જિલ્લા મધ્યવર્તી બેંકના અધ્યક્ષ અને લક્ષ્મણરાવ પાટીલના પુત્ર નીતિન પાટીલ રાજ્યસભામાં જઈ શકે છે એવું લાગી રહ્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલાં જ ફડણવીસે મકરંદ પાટીલ અને નીતિન પાટીલની મુલાકાત લીધી હતી. હવે ભાજપના નેતાઓની બેઠકમાં સાર્વજનિક રીતે તેમણે એક બેઠક એનસીપીને આપવાની વાત કરી હોવાથી તેમની પસંદગી અંતિમ માનવામાં આવે છે.
રાજ્યસભાની ચૂંટણી ત્રીજી સપ્ટેમ્બરે થવાની શક્યતા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ સોનાક્ષી સિન્હા અને લવ સિન્હાની જેમ બોલીવુડના આ ભાઈ બહેન વચ્ચે પણ છે દરાર… તમારા ફોનમાં પણ દેખાય છે આ ખાસ સાઈન? કોઈ કરી રહ્યું છે તમારા ફોનની જાસૂસી…