આમચી મુંબઈટોપ ન્યૂઝ

મહારાષ્ટ્રમાં કોરોનાનો વધતો પ્રકોપ: સરકારે નવી SOP કરી જાહેર

મુંબઈઃ દેશમાં કોરોના વાયરસ વધુ ને વધુ ફેલાઈ રહ્યો છે. કોરોનાના પ્રકોપને ધ્યાનમાં રાખીને, મહારાષ્ટ્ર સરકારે SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર) જારી કરી છે. તમામ આરોગ્ય કેન્દ્રોને ઈન્ફલ્યુએન્ઝા જેવી બીમારી (ILI) અને ગંભીર તીવ્ર શ્વસન ચેપ (SARI) ધરાવતા 5 ટકા દર્દીઓનું પરીક્ષણ અને તૈયારી કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.

રાજ્યમાં કોવિડના દર્દીઓમાં હળવા લક્ષણો

આ આદેશ આરોગ્ય વિભાગ દ્વારા તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનો, જિલ્લા પરિષદો અને જિલ્લા વહીવટીતંત્રોને જારી કરવામાં આવ્યો છે. આરોગ્ય સચિવ ડૉ. નિપુણ વિનાયકે જણાવ્યું હતું કે હાલમાં ઓમિક્રોન વેરિઅન્ટમાં JN.1, XFG અને LF 7.9નો સમાવેશ થાય છે.

આ વેરિઅન્ટ્સ તાવ, ઉધરસ અને ગળામાં દુખાવો જેવા હળવા લક્ષણોનું કારણ બને છે.” રાજ્યમાં કોવિડ-19 દર્દીઓમાં હળવા લક્ષણો જોવા મળી રહ્યા છે અને વિભાગ દ્વારા પરીક્ષણ અને સારવારની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આપણ વાંચો: કોરોના બાદ આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે, WHO એ હેલ્થ ઈમરજન્સી જાહેર કરી

મે મહિનામાં 477 કેસ નોંધાયા

તમને જણાવી દઈએ કે મહારાષ્ટ્રમાં કોવિડ-19 ના 59 નવા કેસ નોંધાયા છે, જેમાંથી 20 કેસ એકલા મુંબઈના છે. આ વર્ષે 1 જાન્યુઆરીથી મુંબઈમાં કોવિડ-19 ના 483 કેસ નોંધાયા છે અને તેમાંથી મોટા ભાગના 477 કેસ ફક્ત મે મહિનામાં જ નોંધાયા છે. 1 જાન્યુઆરીથી રાજ્યમાં ચેપગ્રસ્ત લોકોની સંખ્યા વધીને 873 થઈ ગઈ છે.

આરોગ્ય વિભાગ અનુસાર, જાન્યુઆરી 2025 થી રાજ્યમાં કુલ 12,011 નમૂનાઓનું પરીક્ષણ કરવામાં આવ્યું છે અને સારવાર હેઠળના દર્દીઓની સંખ્યા 494 છે, જ્યારે 369 દર્દીઓ સ્વસ્થ થયા છે. નવા કેસોમાં 20 મુંબઈના, 17 પુણે મ્યુનિસિપલ કોર્પોરેશન હદમાં, 4 થાણેના અને 1 પુણે જિલ્લામાંથી છે.

આપણ વાંચો: મહારાષ્ટ્રમાં કોરોનાના નવા 65 દર્દીઓ નોંધાયા, એક્ટિવ કેસનો આંકડો પહોંચ્યો 500ને પાર

આરોગ્ય વિભાગની નવી SOPમાં શું છે?

  1. પરીક્ષણ, આવશ્યક દવાઓ, PPE, આઇસોલેશન બેડ, મેડિકલ ઓક્સિજન, ICU અને વેન્ટિલેટર બેડની ઉપલબ્ધતા પર ભાર મૂકવો જોઈએ.

2.PSA પ્લાન્ટ્સની કાર્યક્ષમતા અને ઓક્સિજન સજ્જતા સુનિશ્ચિત કરવા માટે મોક ડ્રીલ હાથ ધરવી જોઈએ. રાજ્ય સરકારને કાર્યવાહીનો રિપોર્ટ તુરંત સુપરત કરવો જોઈએ.

  1. જિલ્લા સર્વેલન્સ એકમોએ તેમના વિસ્તારોમાં SARI/ILI કેસો પર બારીકાઈથી નજર રાખવી જોઈએ.
  2. હાથની સ્વચ્છતા, શ્વસન સ્વચ્છતા, યોગ્ય ઉધરસ શિષ્ટાચાર (ખાંસી/છીંક ખાતી વખતે મોં અને નાક ઢાંકવા) અને જાહેર સ્થળોએ થૂંકવાનું ટાળવું જોઈએ.
  3. વૃદ્ધો અને નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોએ ભીડવાળી અથવા બંધિયાર જગ્યાએ જવાનું ટાળવું જોઈએ અથવા આવી જગ્યાઓ પર માસ્ક પહેરવો જોઈએ.
  4. શ્વસનતંત્રની બિમારીના લક્ષણો ધરાવતા લોકોએ તેમના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. જો શ્વાસ લેવામાં તકલીફ કે છાતીમાં દુખાવો જેવા લક્ષણો દેખાય, તો તેમણે તાત્કાલિક નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો જોઈએ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button