આમચી મુંબઈમહારાષ્ટ્ર

NCPના વિલીનીકરણની અટકળો પર અજિત પવાર-સુપ્રિયા સુળેની સ્પષ્ટતા; જાણો શું કહ્યું

પુણે: જુલાઈ 2023માં મહારાષ્ટ્રના રાજકારણમાં મોટો ભૂકંપ આવ્યો હતો. રાજ્યના રાજકારણમાં પ્રભુત્વ ધરવતી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP) બે જૂથમાં વહેંચાઇ જતાં રાજ્યના રાજકરણના સમીકરણમાં મોટા ફેરફારો આવ્યા હતાં. અજિત પવાર (Ajit Pawar)એ અન્ય કેટલાક વિધાનસભ્યો સાથે મળીને નવું જૂથ બનાવ્યું હતું. હાલ એક જૂથનું નેતૃત્વ શરદ પવાર (Sharad Pawar) કરી રહ્યા છે, જ્યારે બીજા જૂથનું નેતૃત્વ તેમના ભત્રીજા અજિત પવાર કરી રહ્યા છે. તાજેતરમાં NCP ના બે જૂથોના સંભવિત વિલીનીકરણનો અટકળો વહેતી (Merger of NCP groups) થઇ હતી, જ્યારે પાર્ટીના 26મા સ્થાપના દિવસે બંને જૂથોએ પુણેમાં અલગ-અલગ કાર્યક્રમો યોજ્યા હતા.

અજિત પવારે તેમના કાકા શરદ પવારથી અલગ થઈને ભજપની આગેવાની હેઠળના ગઠબંધન NDA માં જોડાઈ ગયા હતાં અને હાલમાં તેઓ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન છે. પાર્ટીના સ્થાપના દિવસે, અજિત પવારે તેમના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો અને કહ્યું કે તે સમયની રાજકીય પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખીને આ પગલું જરૂરી હતું.

અજિત પવારે કહ્યું “ફક્ત વિપક્ષમાં બેસીને સૂત્રોચ્ચાર કરવા અને વિરોધ માર્ચ કાઢવી, એ પૂરતું નથી. અમે સંતો નથી. અમે અહીં દિશા આપવા, લોકોના મુદ્દાઓ ઉઠાવવા અને સમાવેશની રાજનીતિ કરવા માટે આવ્યા છીએ.”

અજિત પવારે ભાજપ સાથે ગઠબંધન અંગે પણ સ્પષ્ટતા કરી. તેમણે કહ્યું કે જ્યારે 2019 માં શિવસેના સાથે ગઠબંધન થયું હતું, ત્યારે પણ કરારો કરવામાં આવ્યા હતા. ચંદ્રબાબુ નાયડુ અને મમતા બેનર્જી જેવા નેતાઓનું ઉદાહરણ આપતા તેમણે કહ્યું કે તેઓએ પણ એક સમયે NDA ને ટેકો આપ્યો હતો. અજિત પવારે સ્પષ્ટતા કરી કે તેમનો ઉદ્દેશ્ય ગરીબો અને વંચિતોનું ઉત્થાન કરવાનો છે.

આપણ વાંચો:  મુંબઈ સહિત રાજ્યમાં ફરી ચોમાસું સક્રિય થશે :ખેડૂતોને જોકે વાવણી ૧૫ જૂન બાદ કરવાની કૃષિ વિભાગની અપીલ…

સુપ્રિયા સુળેએ શું કહ્યું?
બીજી તરફ, NCPના શરદ પવાર જૂથ વતી સુપ્રિયા સુળેએ પણ સ્થાપના દિવસ પર એક અલગ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. જ્યારે તેમને બંને જૂથોના વિલીનીકરણની શક્યતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે પ્રશ્ન ટાળી દીધો હતો.

સુપ્રિયા સુળેએ કહ્યું કે તેમના અજિત પવાર સાથે પારિવારિક સંબંધો સારા છે અને આવા નિર્ણયો કેમેરા સામે નહીં પરંતુ પરસ્પર ચર્ચા દ્વારા લેવામાં આવશે. સુપ્રિયાએ એ પણ સ્પષ્ટતા કરી કે તેમના જૂથે કોઈ ખાસ વિધાનસભા સત્રની માંગણી કરી નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button