આમચી મુંબઈ

નવી મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ત્રીજા રનવે માટે ટેક્નો-કોમર્શિયલ શક્યતા અભ્યાસ માટે બિડ મંગાવી

મુંબઈઃ શહેર અને ઔદ્યોગિક વિકાસ નિગમ (સિડકો)એ નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ત્રીજા રનવેના વિકાસ માટે ટેક્નો-કોમર્શિયલ શક્યતાનો અભ્યાસ કરવા માટે સલાહકારની નિમણૂક માટે બિડ મંગાવવામાં આવી છે, એમ એક અધિકારીએ જણાવ્યું હતું.

આ દરખાસ્ત ઈ-ટેન્ડરિંગ પ્રક્રિયા દ્વારા રજૂ કરવામાં આવી છે, જેમાં નિર્ધારિત પાત્રતા માપદંડોને પૂર્ણ કરતા હોય તેવા પ્રતિષ્ઠિત સિંગલ બિઝનેસ એન્ટિટીઝ અથવા સંયુક્ત સાહસો/કન્સોર્ટિયા પાસેથી ઓનલાઈન દરખાસ્ત વિનંતીઓ આમંત્રિત કરવામાં આવી છે.

આ પણ વાંચો: નવી મુંબઈ એરપોર્ટ પહોંચવા સિડકો બાંધશે બે કોસ્ટસ રોડ…

ભવિષ્યમાં હવાઈ ટ્રાફિક વૃદ્ધિ અને સંચાલન જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને ત્રીજો રનવે વિકસાવવાની તકનીકી અને વ્યાપારી યોગ્યતાનું મૂલ્યાંકન કરવાનો આશય આ કન્સલ્ટન્સી દરખાસ્ત મંગાવવા પાછળ છે. તેનું કાર્યક્ષેત્ર સિડકોના પરિવહન અને એરપોર્ટ (ટી એન્ડ સી) વિભાગ હેઠળ આવે છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

કન્સલ્ટન્સીનો સમયગાળો છ મહિનાનો નક્કી કરવામાં આવ્યો છે. કન્સલ્ટન્ટની પસંદગી સ્થાપિત ખરીદી ધોરણો અનુસાર, લિસ્ટ કોસ્ટ સિલેક્શન પદ્ધતિથી કરવામાં આવશે. બિડિંગ શેડ્યૂલ અને વિગતવાર ટેન્ડર દસ્તાવેજો 16 ડિસેમ્બરથી સત્તાવાર સિડકો ઇ-ટેન્ડરિંગ પોર્ટલ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, તેવી માહિતી અધિકારીએ આપી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button