મુંબ્રા રેલવે દુર્ઘટના: ઘાયલ બે પ્રવાસીની હાલત ગંભીર, ત્રણની સર્જરી કરાઇ

થાણે: મુંબ્રા સ્ટેશન નજીક સોમવારે સવારે ટ્રેનમાંથી પડી જતાં ઘાયેલ થયેલા પ્રવાસીઓમાંથી બે જણની હાલત હજી ગંભીર છે, જ્યારે મંગળવારે ત્રણ પ્રવાસીની સર્જરી કરવામાં આવી હતી, એમ પાલિકાની હોસ્પિટલના અધિકારીએ જણાવ્યું હતું.
સોમવારે સવારે પીકઅવર્સમાં થયેલી આ દુર્ઘટનામાં ચાર જણનાં મોત થયાં હતાં, જ્યારે નવ જણ ઘાયલ થયા હતા, જેઓ બે ટ્રેનમાં લટકીને પ્રવાસ કરી રહ્યા હતા.
કલવાની છત્રપતિ શિવાજી મહારાજ હોસ્પિટલના ડીન ડો. રાકેશ બારોટે જણાવ્યું હતું કે બે દર્દીની જ્યુપિટર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે અને તેમની હાલત નાજુક છે.
આ પણ વાંચો: મુંબ્રા ટ્રેન અકસ્માતઃ જે સ્થળે અકસ્માત થયો એ સ્થળ છે રેલવેનું બ્લેક સ્પોટ, જાણો કોણે કર્યો આવો દાવો?
પાલિકાની હોસ્પિટલમાં સાત ઘાયલ પ્રવાસીને દાખલ કરવામાં આવ્યા હતા અને તેમાંથી ત્રણની સર્જરી કરવામાં આવી હતી. અન્ય બે જણની બાદમાં સર્જરી કરવામાં આવશે.
પાલિકાના સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે એક પ્રવાસીને વિશેષ સારવાર માટે મુંબઈની જે. જે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
(પીટીઆઇ)