આમચી મુંબઈ

મુંબઈગરાને મોટી રાહત: હાર્બર લાઈન હવે બોરીવલી સુધી લંબાવાશે, જાણો સંપૂર્ણ પ્લાન

મુંબઈ: મધ્ય રેલવેમાં મુસાફરોની વધતી સંખ્યાને કારણે ગોરેગાંવ સુધી ચાલતી ચાલતી હાર્બર લાઈન બોરીવલી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ વિસ્તરણ બે તબક્કામાં કરવામાં આવશે. મલાડ ખાતે એલિવેટેડ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે.

ઉપરાંત, કાંદિવલી અને બોરીવલી વચ્ચે છઠ્ઠી રેલ્વે લાઈન બનાવવાનું કામ પણ ચાલી રહ્યું છે. આ બાંધકામ થયા પછી મુસાફરો ફક્ત 20 રૂપિયામાં પનવેલથી બોરીવલી મુસાફરી કરી શકશે.

આપણ વાચો: રવિવારે મેગા બ્લોકને કારણે પ્રવાસીઓના થશે મેગા હાલ: પશ્ચિમ રેલવેમાં 235 ટ્રેનો રદ, સેન્ટ્રલ અને હાર્બર લાઈન પર બ્લોક…

હાલમાં, હાર્બર લાઈન પર સીએસએમટી – પનવેલ, અંધેરી, ગોરેગાંવ વચ્ચે લોકલ ટ્રેન દોડે છે. અગાઉ હાર્બર સર્વિસ ફક્ત સીએસએમટી – અંધેરી સુધી જ હતી. પરિણામે અનેક મુસાફરો સીએસએમટીથી અંધેરી મુસાફરી કરી પછી પશ્ચિમ રેલવેની ઉપનગરીય ટ્રેનમાં બાકીની મુસાફરી કરતા હતા.

મુસાફરોની વધતી માંગને ધ્યાનમાં રાખીને હાર્બર ટ્રેન સર્વિસ ગોરેગાંવ સુધી લંબાવવામાં આવી હતી. આ વિસ્તરણ ડિસેમ્બર 2017 થી શરૂ કરવાનું આયોજન હતું, પરંતુ ટેકનિકલ મુશ્કેલીઓને કારણે લોકલ ટ્રેનો માર્ચ 2019થી જ ગોરેગાંવ સુધી શરૂ થઈ શકી હતી.

ગોરેગાંવ સુધીની સર્વિસને સફળતા મળતા હવે તેને બોરીવલી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ પ્રોજેક્ટનો અંદાજિત ખર્ચ 825 કરોડ રૂપિયા થશે. વિસ્તરણ બે તબક્કામાં કરવામાં આવશે – ગોરેગાંવથી મલાડ સુધીનો 2 કિમીનો પહેલો તબક્કો 2026-27 માં પૂર્ણ થશે અને મલાડથી બોરીવલી સુધીનો 5 કિમીનો બીજો તબક્કો 2027-28 માં પૂર્ણ થશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button