આમચી મુંબઈ

દિવ્યાંગ પ્રવાસીઓ માટે ખુશખબર: મેટ્રો-થ્રી ટિકિટ ભાડામાં 25 ટકા ડિસ્કાઉન્ટ રવિવારથી લાગુ

મુંબઈ: મુંબઈ મેટ્રો રેલ કોર્પોરેશન (એમએમઆરસી)એ ‘કફ પરેડ – બાંદ્રા- સિપ્ઝ – આરે અંડરગ્રાઉન્ડ મેટ્રો ૩’ રૂટ પર મુસાફરી કરતા દિવ્યાંગ મુસાફરોને ટિકિટ ભાડામાં ૨૫ ટકા છૂટ આપવાનો નિર્ણય લીધો છે. આ સુવિધા રવિવાર ૨૩ નવેમ્બરથી લાગુ કરવામાં આવશે. આ માટે દિવ્યાંગોએ ‘મેટ્રોકનેક્ટ3’ એપનો ઉપયોગ કરવો પડશે.

હાલમાં દિવ્યાંગોને એસટી અને બેસ્ટ બસોમાં ટિકિટમાં છૂટ મળે છે. લોકલ અને લાંબા અંતરની ટ્રેનોમાં, ૮૦ ટકા દિવ્યાંગતા ધરાવતી વ્યક્તિને ટિકિટ ભાડામાં ૭૫ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે અને તેમની સાથેના પ્રવાસીને ટિકિટ ભાડામાં ૫૦ ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. ‘ઘાટકોપર – અંધેરી – વર્સોવા મેટ્રો ૧’ રૂટની સાથે, ‘દહિસર – અંધેરી વેસ્ટ મેટ્રો ટુએ’ અને ‘દહિસર – ગુંદાવલી મેટ્રો ૭’ રૂટ પર પણ દિવ્યાંગોને ટિકિટમાં છૂટ આપવામાં આવી રહી છે.

આપણ વાચો: GSRTCનો સંવેદનશીલ અભિગમ: વર્ષમાં 96 લાખથી વધુ દિવ્યાંગ પ્રવાસીએ વિનામૂલ્યે મુસાફરીનો લાભ લીધો

‘મેટ્રો ૩’ શરૂ થયાને એક વર્ષ વીતી ગયું છે અને આખી લાઇન સેવામાં મૂકાયાને એક મહિનો વીતી ગયો છે, પરંતુ દિવ્યાંગો માટે ટિકિટ ભાડામાં કોઈ છૂટ આપવામાં આવી નથી. તેથી, થોડા દિવસો પહેલા, દિવ્યાંગ સંગઠનોના પ્રતિનિધિઓ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા અને ‘મેટ્રો ૩’માં મુસાફરી કરતા દિવ્યાંગો માટે ટિકિટ ભાડામાં છૂટ આપવાની માંગ કરી હતી.

આ માંગણીને ધ્યાનમાં લેતા એમએમઆરસીએ ૨૮ ઓક્ટોબરના જાહેરાત કરી હતી કે તે આગામી ૧૦ દિવસમાં દિવ્યાંગોને ટિકિટ ભાડામાં ૨૫ ટકા છૂટ આપશે. જોકે, દસ દિવસ પછી પણ આ સુવિધા લાગુ ન થતાં દિવ્યાંગોમાં નારાજગી જોવા મળી હતી. આ સુવિધા શક્ય તેટલી વહેલી તકે ઉપલબ્ધ કરાવવાની માંગ કરવામાં આવી હતી. આખરે આ માંગણી સ્વીકારવામાં આવી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button