આમચી મુંબઈ

મરાઠી મુદ્દે મારપીટઃ હિંસાના વિરોધમાં મીરા-ભાયંદરમાં દુકાનો બંધ

મીરા-ભાયંદર: મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકરોએ મરાઠીનો ઉપયોગ નહીં કરવા બદલ મીરા-ભાયંદરમાં એક રેસ્ટોરાંના માલિક પર વારંવાર મારપીટ કર્યાના થોડા દિવસો બાદ દુકાનદારોએ પક્ષની હિંસાના વિરોધમાં વિસ્તારમાં તેમની દુકાનો બંધ કરીને વિરોધમાં એકઠા થયા છે.

મરાઠીમાં વાતચીત ન કરવા બદલ મનસેના કાર્યકરો દ્વારા એક રેસ્ટોરાંના માલિકની હેરાનગતિ કરવામાં આવ્યા બાદ આજે સવારે મીરા-ભાયંદર વિસ્તારની અસંખ્ય દુકાનો વિરોધમાં બંધ રહી હતી. બંધ દુકાનો અને સૂમસામ બજારોની તસવીરો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે ફરી રહી છે.

આ પણ વાંચો: મરાઠી નહીં બોલવા બદલ વેપારીઓને માર માર્યો: શિવસેના (UBT) નેતા પર આક્ષેપ

મુંબઈના મીરા રોડમાં એક રેસ્ટોરાં માલિક પર મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (મનસે)ના કાર્યકર્તાઓએ મરાઠી ન બોલવાને કારણે મારપીટ કરી હતી. આ વિવાદ મનસેના કાર્યકર્તાએ રેસ્ટોરાંના માલિકને ભાષાના ઉપયોગ અંગે પૂછપરછ કરી ત્યારે શરૂ થયો હતો. મરાઠી ફરજિયાત છે એ પોતે નથી જાણતો એવો જવાબ માલિકે મજાકિયા ટોનમાં આપતા કાર્યકર્તાઓ ગુસ્સે ભરાયા હતા.

મહારાષ્ટ્રમાં તમામ ભાષાઓ બોલાય છે એવું માલિકે કહેતા પરિસ્થિતિ વણસી ગઈ હતી. આ રજૂઆત સાંભળી એક કાર્યકર્તાએ જાહેરમાં તેમને લાફા ચોડી દીધા હતા. આ ઘટનાથી સોશિયલ મીડિયા પર આક્રોશ ફાટી નીકળ્યો છે અને ભાષાની જાળવણી વિરુદ્ધ હિંસાની ચર્ચાઓ વધી છે. પોલીસ આ મામલે તપાસ કરી રહી છે, પરંતુ હજુ સુધી કોઇ સત્તાવાર ફરિયાદ દાખલ નથી થઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button