બહુમતીએ મુંબઈગરાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ યુઝર ફીને નકારી કાઢી

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાય-લૉ (ઘનકચરા વ્યસ્થાપન નિયમાવલી)માં યુઝર ફી શામેલ કરવાના પગલાંને ફકત ૪૯ ટકા મુંબઈગરાનું સમર્થન મળ્યું છે. એટલે કે બહુમતી મુંબઈગરાએ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટના નિયમોમાં યુઝર ફી લાગુ કરવાના પ્રસ્તાવને નકારી કાઢયો છે.
દંડની અસરકારકતાને બાવન ટકા લોકોએ યોગ્ય ગણાવતા કહ્યું હતું કે આનાથી લોકોની સિવિક બિહેવીયરમાં સુધારો થશે. જયારે ૬૬ ટકા લોકોએ એવી ભલામણ કરી હતી કે જયાં સુધી મુળભૂત માળખાકીય સુવિધા જેમ કે શૌચાલયો અને કચરાપેટીઓ આવે ઉપલબ્ધ કરાવવામાં આવે નહીં ત્યાં સુધી દંડ કરવો નહીં. દૈનિક કચરાના વર્ગીકરણને ૪૩ ટકા લોકોએ બિનવ્યહારું ગણાવ્યું હતું કેમ કે શહેરની સાંકડી ગલીઓ, કચરાપેટીનો અભાવ અને કચરાને એકઠા કરવાની બિનઅસરકાર સેવાને કારણે બિનવ્યહારું ગણાવ્યું હતું. જયારે ફકત ૪૯ ટકા લોકોએ આ વ્યવહારું લાગ્યું હતું.
આ પણ વાંચો….આનંદો! દક્ષિણ મુંબઈમાં ૧૦ સ્થળોએ પાર્કિંગ મફત