મહારાષ્ટ્રમાં નગરપાલિકાની ચૂંટણીમાં ‘મહાયુતિ’ની ફોર્મ્યુલા શું હશે? બાવનકુળેએ શું કહ્યું?

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વિધાનસભાની ચૂંટણીમાં મહાયુતિને મોટી બહુમતી મળી હતી, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ)ને હારનો સામનો કરવો પડ્યો. ચૂંટણી બાદ રાજ્યમાં ફરી ‘મહાયુતિ’ (ભાજપ, એકનાથ શિંદે શિવસેના, અજિત પવાર એનસીપી)ની સરકાર બની છે. તે પછી, મંત્રીમંડળનું વિસ્તરણ કરવામાં આવ્યું અને ખાતાઓની વહેંચણી કરવામાં આવી, પરંતુ હવે છેલ્લા કેટલાક સમયથી અટવાયેલી સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી આગામી કેટલાક મહિનામાં યોજાય તેવી શક્યતા છે. આ પૃષ્ઠભૂમિમાં તમામ રાજકીય પક્ષોએ અત્યારથી જ તૈયારીઓ શરૂ કરી દીધી હોવાનું ચિત્ર જોવા મળી રહ્યું છે. જોકે વિધાનસભાની ચૂંટણીની જેમ મહાયુતિ સાથે મળીને લડશે કે સ્વતંત્ર રીતે? આ અંગે હજુ કોઈ સ્પષ્ટતા નથી. આ સંદર્ભે મહાયુતિના નેતાઓ હવે સૂચક ટિપ્પણીઓ કરી રહ્યા છે.
આજે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુળેએ મીડિયા સાથે વાતચીત દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ અને મહાયુતિની ફોર્મ્યુલા વિશે મોટી ટિપ્પણી કરી છે. આગામી સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણી એકસાથે કે સ્વતંત્ર રીતે કેવી રીતે લડવી? આ બાબતનો નિર્ણય અમારા જિલ્લા સ્તરના નેતાઓ અને પદાધિકારીઓ દ્વારા લેવામાં આવશે અને તેમના દ્વારા લેવામાં આવેલ નિર્ણય પર ભાજપ મોવડીમંડળની મહોર લેવામાં આવશે,” એમ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.
Also read: મહારાષ્ટ્ર સરકાર કામદારોની સલામતી માટે ઔદ્યોગિક રિએક્ટર માટે ધોરણો તૈયાર કરશે…
ચંદ્રશેખર બાવનકુળેએ શું કહ્યું?
સુપ્રિમ કોર્ટમાં OBC અનામત અંગેની સુનાવણી જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં તેના અંતિમ તબક્કામાં છે. જો જાન્યુઆરીમાં નિર્ણય લેવામાં આવે તો મને લાગે છે કે ચૂંટણી પંચ માર્ચ-એપ્રિલ સુધીમાં સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ યોજશે. જો કે, સર્વોચ્ચ અદાલત જાન્યુઆરીમાં ચુકાદો આપે તો જ તે માર્ચ-એપ્રિલ સુધીમાં થઈ શકે છે,” એમ ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું.
શું હશે ‘મહાયુતિ’ની ફોર્મ્યુલા?
સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી માટે મહાયુતિની ફોર્મ્યુલા શું હશે? એવો સવાલ કરવામાં આવતાં ચંદ્રશેખર બાવનકુળેએ જણાવ્યું હતું કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં અમારા સ્થાનિક પદાધિકારીઓ. તેઓ જે નિર્ણય લેશે તે અમારા મહાયુતિ દ્વારા નક્કી કરવામાં આવશે. અમે રાજ્ય પર કોઈ નિર્ણય લાદીશું નહીં.
ઉપરાંત, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી અંગે રાજ્ય દ્વારા કોઈ નિર્ણય લેવામાં આવશે નહીં. હું હવે મીડિયાની સામે કહું છું કે મહારાષ્ટ્રમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અંગે અમારા જિલ્લા સ્તરના પદાધિકારીઓ જે નિર્ણય લેશે તે જ નિર્ણય ભારતીય જનતા પાર્ટી લેશે,” એમ ચંદ્રશેખર બાવનકુળેએ ભારપૂવર્ક જણાવ્યું હતું.