આમચી મુંબઈમહારાષ્ટ્ર

લાડકી બહેન યોજનાથી અર્થતંત્રને વેગ મળશે: મુખ્યમંત્રી એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સામાન્ય મહિલાઓના પરિવારોને ટેકો આપવા માટે ‘મુખ્યમંત્રી-માઝી લાડકી બહિણ યોજના’ અને ‘અન્નપૂર્ણા યોજના’ શરૂ કરવામાં આવી છે. લાડકી બહેન યોજના રાજ્યની અર્થવ્યવસ્થાને વેગ આપવાની યોજના છે, એમ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ આજે અહીં ભારપૂર્વક જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે સરકાર રાજ્યના વિકાસને પ્રાથમિકતા આપી રહી છે અને સાથે જ તે કલ્યાણકારી યોજનાઓ પણ લાગુ કરી રહી છે અને વિકાસ અને કલ્યાણને જોડવાનો પ્રયાસ કરી રહી છે.
એક ન્યૂઝ ગ્રુપના કાર્યક્રમમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે બોલી રહ્યા હતા. મુખ્ય પ્રધાન શિંદેએ કહ્યું હતું કે આ સામાન્ય લોકોની સરકાર છે. મુખ્યમંત્રી- માઝી લાડકી બહિણ યોજના, અન્નપૂર્ણા યોજના, વયોશ્રી યોજના, તીર્થક્ષેત્ર યોજના સહિત અનેક કલ્યાણકારી યોજનાઓ અમલમાં છે. છેલ્લા આઠ-નવ મહિનાથી લાડકી બહેન યોજનાની તૈયારીઓ ચાલી રહી હતી.

ગૃહિણીઓએ ઘરના વ્યવહાર કરતી વખતે ભારે કસરત કરવી પડે છે. રાજ્ય સરકાર લાડકી બહેન યોજના દ્વારા તેમને આધાર આપવાનો પ્રયાસ કરી રહી છે. હાલમાં આ યોજના મહદ્અંશે સફળ થઈ રહી છે. તેવી જ રીતે અન્નપૂર્ણા યોજના દ્વારા દર વર્ષે ત્રણ ગેસ સિલિન્ડર આપવામાં આવશે. રાજ્ય સરકાર ‘લેક લાડકી લખપતિ યોજના’ અને ઉચ્ચ શિક્ષણ માટે ક્ધયાઓ માટે શિક્ષણ ફીની માફી જેવી યોજનાઓ દ્વારા મહિલાઓને કેન્દ્રબિંદુમાં રાખીને કામ કરી રહી છે. આ કલ્યાણકારી યોજનાઓ માત્ર ભંડોળ આપીને જ અમલી બનાવવામાં આવી રહી છે.

આ પણ વાંચો : CM એકનાથ શિંદેને હવે શરદ પવારે કરી નાખી મોટી અપીલ

મહારાષ્ટ્ર એક પ્રગતિશીલ રાજ્ય છે અને રાજ્યના વિકાસ માટે મોટા પ્રમાણમાં માળખાકીય સુવિધાઓના કામો હાથ ધરવામાં આવ્યા છે. તેમણે એમ પણ કહ્યું હતું કે મોટી સંખ્યામાં ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે અને રોજગારીની તકો ઊભી થઈ રહી છે. મીડિયા લોકશાહીનો ચોથો સ્તંભ છે. મીડિયાએ રાજ્ય સરકારના સકારાત્મક કાર્યો અને યોજનાઓ તેના પ્લેટફોર્મ દ્વારા લોકો સુધી પહોંચાડવા જોઈએ. લોકોના હિત માટેના કામો બતાવવા જોઈએ. ઉદ્દેશ્યસભર માહિતી લોકો સુધી પહોંચાડવાનું કામ કરો. એકનાથ શિંદેએ એમ પણ કહ્યું હતું કે લોકોની સમસ્યાઓને તોડી પાડતું પત્રકારત્વ હોવું જોઈએ એવી અપેક્ષા મીડિયા પાસેથી રાખવામાં આવે છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામે ઊભા હોવ તો પણ દૂધ ઉભરાઈ જાય છે? ફોલો કરો આ સિમ્પલ ટિપ્સ… આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ