મહારાષ્ટ્ર વિધાનસભામાં જીએસટી સુધારા બિલ રજૂ કરવામાં આવ્યું, જેથી ‘કેન્દ્રીય અને રાજ્યના કાયદાઓમાં એકરૂપતા’ લાવી શકાય

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: દેવેન્દ્ર ફડણવીસની આગેવાની હેઠળની સરકારે ગુરુવારે રાજ્ય વિધાનસભામાં મહારાષ્ટ્ર ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (સુધારા) બિલ રજૂ કર્યું હતું, જેથી કેન્દ્ર અને રાજ્ય જીએસટી કાયદાઓ વચ્ચે એકરૂપતા લાવી શકાય.
નાણા ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન આશિષ જયસ્વાલ દ્વારા રાજ્ય વિધાનસભાના નીચલા ગૃહમાં રજૂ કરાયેલું આ બિલ, માર્ચમાં કેન્દ્ર દ્વારા પસાર કરાયેલા નાણા અધિનિયમ, 2025 સાથે સંલગ્ન 13 પ્રસ્તાવિત ફેરફારોને સમાવીને મહારાષ્ટ્ર જીએસટી કાયદા, 2017માં સુધારો કરવાનો પ્રયાસ કરે છે.
આ સુધારાઓનો હેતુ કેન્દ્ર અને રાજ્ય જીએસટી કાયદાઓ વચ્ચે એકરૂપતા લાવવાનો છે, જેનાથી વધુ સુવ્યવસ્થિત, પારદર્શક અને કરદાતા-મૈત્રીપૂર્ણ સેવાઓ સક્ષમ બનશે,’ એમ તેમણે કહ્યું હતું.
આ પણ વાંચો: દેશના જીએસટી કલેકશનના 16. 4 ટકાનો વધારો, ગુજરાત સહિત આ રાજ્યોમાં સૌથી વધુ વૃદ્ધિ
પ્રસ્તાવિત સુધારાઓમાં ઇનપુટ સેવા વિતરકો, પુરવઠાનો સમય, ઇનપુટ ટેક્સ ક્રેડિટનું વિતરણ, અપીલ પ્રક્રિયા સરળ કરવી અને ટ્રેકિંગ અને ટ્રેસિંગ મિકેનિઝમ સંબંધિત જોગવાઈઓ સહિત અનેક મુખ્ય ક્ષેત્રોને આવરી લેવામાં આવ્યા છે. ખાસ કરીને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (એસઈઝેડ) અને ફ્રી ટ્રેડ વેરહાઉસિંગ ઝોન (એફટીડબ્લ્યુઝેડ) માટે ચોક્કસ માલ અને સેવાઓના પુરવઠા અંગે પણ અપડેટ્સ પ્રસ્તાવિત છે.
એક નોંધપાત્ર જોગવાઈમાં રાહત પગલાંનો સમાવેશ થાય છે, જેમાં ફક્ત દંડની માગણીઓ સામે અપીલ દાખલ કરતા કરદાતાઓએ વિવાદિત રકમના માત્ર 10 ટકા પહેલાં જમા કરાવવાની જરૂર રહેશે.
પ્રધાને કહ્યું હતું કે સુધારા ફક્ત તકનીકી અથવા પાલન-આધારિત નથી પરંતુ જીએસટી સિસ્ટમની કાર્યક્ષમતા અને વપરાશકર્તા અનુભવને સુધારવાનો હેતુ છે.