શું પ્રધાનમંડળમાં ફેરફાર થશે? | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શું પ્રધાનમંડળમાં ફેરફાર થશે?

મુનગંટીવારની સ્પષ્ટતા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
રાજ્ય પ્રધાન મંડળમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે. તેનું કારણ એ છે કે શિવસેના (યુબીટી)એ એવો દાવો કર્યો છે કે રાજ્યમાં મહાયુતિ સરકારમાં ટૂંક સમયમાં પરિવર્તન થશે. આટલું જ નહીં, એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે સરકારને મુશ્કેલીમાં મુકનારા આઠ પ્રધાનોને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે અને તેમના સ્થાને નવા ચહેરાઓને તક મળી શકે છે.

એવી પણ ચર્ચા છે કે ભાજપના નેતા સુધીર મુનગંટીવાર વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરનું સ્થાન લેશે. જોકે, સુધીર મુનગંટીવારે હવે આ બધી વાતો અને વિધાનસભાના અધ્યક્ષ પદ અંગેની ચર્ચાઓને પણ ફગાવી દીધી છે.

આપણ વાંચો: તુઝસે નારાજ નહીં, તેરે સવાલોં સે પરેશાન હું: સુધીર મુનગંટીવાર

સુધીર મુનગંટીવારે કહ્યું હતું કે, હું તમને ફરી એકવાર કહું છું કે મારી પાસે આ અંગે કોઈ માહિતી નથી. જોકે, મારો મત છે કે હાલમાં કેબિનેટમાં ફેરફારની કોઈ શક્યતા નથી. કારણ કે આગામી સમયમાં મ્યુનિસિપલ અને જિલ્લા પરિષદની ચૂંટણીઓ છે. તેથી, મને નથી લાગતું કે આવા વાતાવરણમાં, તેઓ પ્રધાનો કે તે જિલ્લામાં કોઈપણ નેતાને અસ્થિર કરવાનું કામ કરશે, એમ સુધીર મુનગંટીવારે મીડિયા સાથે વાત કરતા કહ્યું હતું.

તેમણે એમ પણ કહ્યું હતું કે, ‘ભારતીય જનતા પાર્ટીની કોર કમિટીમાં હાલમાં કેબિનેટમાં ફેરફાર અંગે કોઈ ચર્ચા થઈ નથી. ઉપરાંત, આવી કોઈ તાત્કાલિક બેઠક બોલાવવામાં આવી નથી.

કેબિનેટમાં ફેરફાર અંગે કોઈપણ નિર્ણય કેન્દ્રીય સ્તરે લેવામાં આવે છે. ઉપરાંત, રાજ્ય સ્તરના નેતૃત્વને આ અંગે અગાઉથી કોઈ માહિતી અપાતી નથી. જો કે, જો આવો કોઈ ફેરફાર થશે, તો તે થાય તે ક્ષણે અમારી પાસે આવશે. પરંતુ, મારો મત છે કે હાલમાં આવો કોઈ ફેરફાર થશે નહીં.’

આપણ વાંચો: મહાયુતિના મહારાષ્ટ્રમાં શ્રી ગણેશ: સુધીર મુનગંટીવારે ઉમેદવારી નોંધાવી

પ્રધાનપદ મળવાની ચર્ચા પર, રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, ‘હું મીડિયા રિપોર્ટ્સમાં માનતો નથી. હું ફક્ત પક્ષના નેતૃત્વના આદેશનું પાલન કરું છું. તેમ છતાં, હું પક્ષ જે જવાબદારી આપે છે તે સ્વીકારીશ.’

દરમિયાન, શિવસેના (યુબીટી)એ એવો દાવો કર્યો છે કે નાર્વેકર પ્રધાનપદ ઇચ્છતા હતા, જેના પર નાર્વેકરે કહ્યું હતું કે, ‘પાર્ટી જે ઇચ્છે તે મારી ઇચ્છા છે.’ ‘પક્ષ દ્વારા આપવામાં આવેલી જવાબદારી સ્વીકારીશ.’

એવી ચર્ચા છે કે વિવાદાસ્પદ નિવેદનો આપનારા અને સરકાર માટે મુશ્કેલી ઉભી કરનારા પ્રધાનોને કેબિનેટમાંથી દૂર કરવામાં આવશે. આ અંગે રાહુલ નાર્વેકરે કહ્યું, એવું કંઈ નથી. બધા નેતાઓ, પ્રધાનો, વિધાનસભ્યો સારું કામ કરી રહ્યા છે.

ઘણા લોકો એવા છે જેમને કેટલીક નવી તકો મળશે. જો પાર્ટી તેમને તક આપવા માગે છે, તો તે પણ થઈ શકે છે. જો મારી વાત આવે તો હું પાર્ટી દ્વારા આપવામાં આવેલી જવાબદારી સ્વીકારીશ અને તે અન્ય લોકો માટે પણ એવું જ રહેશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે. More »

સંબંધિત લેખો

Back to top button