આમચી મુંબઈ

મહારાષ્ટ્ર 2047 રોકાણ માટેનું વિઝન નીતિ આયોગની બેઠકમાં ફડણવીસે માંડ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મહારાષ્ટ્ર સરકારે કેન્દ્ર સરકારના વિઝન 2047ના ધોરણે રાજ્યમાં મહારાષ્ટ્ર-2047 અમલમાં મૂક્યું હતું અને 100 દિવસના સુશાસનમાં મહારાષ્ટ્રના વિવિધ વિભાગોએ 700થી વધુ લશ્ર્યાંકોને સાધ્ય કર્યા હતા એવા શબ્દોમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાને નીતિ આયોગની બેઠકમાં રાજ્યની રજૂઆત માંડી હતી.

પોતાના વક્તવ્યની શરૂઆત કરતાં તેમણે કહ્યું હતું કે, ‘ઓપરેશન સિંદૂર’ માટે ભારતીય સેના અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો હૃદયપૂર્વક આભાર અને અભિનંદન. આ આતંકવાદ સામે શૂન્ય સહિષ્ણુતાના સંકલ્પને રેખાંકિત કરે છે.

આપણ વાંચો: 2047 સુધીમાં વિકસિત ભારતના PM Modiના વિઝનને મજબૂત બનાવતું બજેટ અજિત પવારે રજૂ કર્યું

રાષ્ટ્રીય નીતિ મુજબ મહારાષ્ટ્ર સરકાર ત્રણ તબક્કામાં મહારાષ્ટ્ર 2047નું વિઝન પણ તૈયાર કરી રહી છે. અમારી સરકારે 100 દિવસના સુશાસન, નાગરિક-કેન્દ્રિત ઉકેલો અને જવાબદારીની થીમ પર આધારિત એક કાર્યક્રમ હાથ ધર્યો છે. આમાં વિવિધ વિભાગોએ 700 થી વધુ લક્ષ્યો પ્રાપ્ત કર્યા હતા.

હવે 150 દિવસનો કાર્યક્રમ હાથ ધરવામાં આવ્યો છે. આમાં 2047 માટે એક લાંબા ગાળાનું વિઝન તૈયાર કરવામાં આવશે અને જ્યારે મહારાષ્ટ્ર તેનો અમૃત મહોત્સવ ઉજવશે તે સમયગાળા માટે ટૂંકા ગાળાનું પાંચ વર્ષનું વિઝન એટલે કે 2035 અને 2029 માટે વાર્ષિક લક્ષ્યો સાથે ટૂંકા ગાળાનું પાંચ વર્ષનું વિઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે.

અમારો મુખ્ય ઉદ્દેશ વર્તમાન અર્થતંત્રને 2030 સુધીમાં એક ટ્રિલિયન ડોલર અને 2047 સુધીમાં પાંચ ટ્રિલિયન ડોલરનું અર્થતંત્ર બનાવવાનો છે.

નવી ઔદ્યોગિક નીતિનો ઉદ્દેશ જીડીપીમાં ઉત્પાદન ક્ષેત્રના યોગદાનને 20 ટકાથી ઉપર લઈ જવાનો છે. મૈત્રી 2.0 એક સિંગલ વિન્ડો ક્લિયરન્સ સિસ્ટમ લાગુ કરવામાં આવી છે, જે ઈવી, સેમી-ક્ધડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર જેવા નવા ક્ષેત્રોને પ્રોત્સાહન આપે છે, એમ તેમણે જણાવ્યું હતું.

આપણ વાંચો: Swarna Andhra-2047: નાયડૂએ ‘સમૃદ્ધ, સ્વસ્થ અને સુખી’ રાજ્ય માટે રજૂ કર્યું ‘વિઝન’…

2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં દેશમાં સૌથી વધુ 1.39 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ મહારાષ્ટ્રમાં આવ્યું છે. દાવોસ વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં 15.96 લાખ કરોડ રૂપિયાના એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. 50 ટકા દરખાસ્તો પર પ્રક્રિયા કરવામાં આવી છે, જેમાં મોટાભાગના રોકાણો ટાયર-2 અને ટાયર-3 શહેરોમાં કરવામાં આવ્યા છે, એવી માહિતી તેમણે આપી હતી.

અમારું ધ્યાન વિકાસને વેગ આપવા માટે માળખાકીય સુવિધાઓ, વિવિધ સુધારાઓ અને રોજગાર વધારવા પર છે. સમૃદ્ધિ મહામાર્ગ, અટલ સેતુ, કોસ્ટલ રોડ વગેરે જેવા પ્રોજેક્ટ્સ મહારાષ્ટ્રના વિકાસને ગતિ આપી રહ્યા છે અને માળખાકીય ક્ષેત્રમાં ક્રાંતિ લાવી રહ્યા છે.

દેવેન્દ્ર ફડણવીસે આ પ્રસંગે જણાવ્યું હતું કે વાઢવાણ બંદર, નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય વિમાનમથક, મેટ્રો, રેલ્વે, મલ્ટિ-મોડલ લોજિસ્ટિક્સ પાર્ક પ્રાદેશિક વિકાસને વેગ આપશે અને તે માટે અમે વડા પ્રધાનના આભારી છીએ.

ફડણવીસ દેશના નવા મુખ્ય ન્યાયાધીશ ભૂષણ ગવઈને પણ મળ્યા. મુખ્ય પ્રધાને તેમને વિધાનસભામાં સર્વપક્ષી સન્માન આપવા અને ભારતીય બંધારણ પર માર્ગદર્શિત વ્યાખ્યાન આપવા માટે સમય ફાળવવા વિનંતી કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button