આમચી મુંબઈ

મુંબઈની લોકલ ટ્રેનની ‘લેટ લતીફી’ માટે આ કારણ છે જવાબદાર

રેલવે માટે એલાર્મ ચેઈન પુલિંગ બન્યો માથાનો દુખાવો

મુંબઈઃ મુંબઈ સબર્બન રેલવેમાં રોજના હજારો લોકલ ટ્રેનની સર્વિસીસ દોડાવાય છે, પણ અમુક કારણસર લોકલ ટ્રેનો નિયમિત મોડી દોડતી હોવાથી પ્રવાસીઓને હાલાકી પડી રહી છે, જેનાથી પ્રશાસન પણ પરેશાન છે.

મધ્ય રેલવેમાં વિવિધ કારણોસર લોકલ ટ્રેન અને બહારગામની ટ્રેનોના રોજ ધાંધિયા હોય છે. કામ-ધંધા માટે રોજિંદા મુસાફરી કરનારા આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ગયા છે. ત્યારે એવું જાણવા મળ્યું છે કે એલાર્મ ચેઇન પુલિંગના કારણે અટકી પડતી ટ્રેનોનો સમયપત્રક ખોરવવામાં મોટો ફાળો છે.

આપણ વાંચો: CSMT જતી લોકલ ટ્રેનના મહિલાઓના કોચમાં અશ્લીલ હરકત કરનારા સામે ગુનો નોંધાયો

સમયસર ટ્રેનમાં નહીં ચઢવાનું કારણ

મધ્ય રેલવેમાં ઘણા એલાર્મ ચેઇન પુલિંગ (ACP) કેસ વિવિધ કારણોસર બને છે જેના માટે રેલવેના કાયદા મુજબ કેસ નોંધવામાં આવે છે. કારણોમાં આકસ્મિક રીતે ACP ચેઇન ખેંચાઈ જવી, સમયસર ટ્રેનમાં ચઢી ન શકવું, મોબાઈલ ફોન પડી જવો અને અન્ય બિનજરૂરી કારણોનો સમાવેશ થાય છે.

તેને કારણે તે ટ્રેન તો મોડી પડે જ છે, પરંતુ અન્ય ટ્રેનોનું સમયપત્રક પણ ખોરવાય છે. રેલવેએ આ વાતની નોંધ લેતા જણાવ્યું છે કે, રેલવેએ ફક્ત ઈમરજન્સીના ઉદ્દેશ માટે ઉપનગરીય અને મેઇલ/એક્સપ્રેસ ટ્રેનોમાં એલાર્મ ચેઇન પુલિંગ (ACP) વિકલ્પ ઉપલબ્ધ કરાવ્યો છે.

આપણ વાંચો: મુંબઈની લોકલ ટ્રેનમાં વરિષ્ઠ નાગરિકો માટે ‘અલગ’ ડબ્બો રખાશે, જાણો નવી અપડેટ

150 ટ્રેન દસથી 15 મિનિટ મોડી પડી

પહેલી જૂનથી 19મી જૂનના સમયગાળા દરમિયાન મધ્ય રેલવેમાં 150 ટ્રેન ACPને કારણે 10-15 મિનિટ માટે મોડી પડી હતી, જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 98 ટ્રેન અટકી હતી. આ આંકડા 53 ટકાનો વધારો દર્શાવે છે અને તેની પાછળ રહેલી ટ્રેનોને પણ સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો.

એસીપીથી મુંબઈની લોકલ ટ્રેન પ્રભાવિત

મુંબઈ ડિવિઝન પર ટ્રાફિકમાં મેલ/એક્સપ્રેસ ટ્રેનો અને ઉપનગરીય ટ્રેનો બંનેનો સમાવેશ થતો હોવાથી તેની વ્યાપક અસર પડી છે. ઉપનગરીય ટ્રેનો મોડી દોડી રહી છે અને સ્ટેશનો પર મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.

આપણ વાંચો: પ્રવાસીઓની યાતનાઓનો અંત ક્યારે? 15 કોચની લોકલ ટ્રેન દોડાવવાની યોજના અભરાઈ પર કેમ ચઢી?

મુંબઈ ડિવિઝનમાં વધુ કેસ નોંધાયા

પહેલીથી 20 જૂન વચ્ચેના સમયગાળા દરમિયાન મધ્ય રેલવેના વિવિધ ડિવિઝનમાં એલાર્મ ચેન પુલિંગના કેસ પૈકી મુંબઈમાં સૌથી વધુ નોંધાયા હતા. ભુસાવલ વિભાગમાં 26 કેસ નોંધાયા હતા જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 13 કેસ નોંધાયા હતા.

નાગપુર વિભાગમાં 52 કેસ નોંધાયા હતા જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 28 કેસ નોંધાયા હતા. મુંબઈ ડિવિઝન પર 57 કેસ નોંધાયા હતા જ્યારે ગયા વર્ષે આ જ સમયગાળા દરમિયાન 41 કેસ નોંધાયા હતા.

આપણ વાંચો: મધ્ય રેલવે પર થયેલી દુર્ઘટના બાદ રેલવે લીધો મહત્ત્વનો નિર્ણય, હવે લોકલ ટ્રેનમાં…

1.10 લાખ રુપિયાનો દંડ વસૂલ્યો

મધ્ય રેલવે આવી અયોગ્ય ACP ઘટનાઓ પર નજીકથી નજર રાખી રહ્યું છે. પહેલી જૂનથી 20 જૂનના સમયગાળા દરમિયાન 666 એસીપી કેસ નોંધાયા હતા, જેમાં 463 મુસાફર સામે કાર્યવાહી કરવામાં આવી હતી અને 1.70 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવ્યો હતો.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button