કિશોરનું અપહરણ કરીને₹ ૩૦ લાખની ખંડણી માગી | મુંબઈ સમાચાર

કિશોરનું અપહરણ કરીને₹ ૩૦ લાખની ખંડણી માગી

પુણે: ૧૪ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેના છુટકારા માટે પરિવારજનો પાસે રૂ. ૩૦ લાખની ખંડણી માગવા બદલ ત્રણ જણની ધરપકડ કરવામાં આવી હતી.આરોપીઓની ઓળખ તેજન લોખંડે, અર્જુન રાઠોડ અને વિલાસ મ્હસ્કે તરીકે થઇ હોઇ તેઓ હોટેલ ખોલવા માગતા હતા અને તેમને નાણાંની જરૂર હતી. આથી તેમણે કિશોરના અપહરણની યોજના બનાવી હતી.પોલીસના જણાવ્યા અનુસાર પિંપરી-ચિંચવડના તાથાવડે વિસ્તારમાંથી મંગળવારે સવારે ભંગારના વેપારીના ૧૪ વર્ષના પુત્રનું અપહરણ કરવામાં આવ્યું હતું.
કિશોરના પરિવારે આ પ્રકરણે ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે ટીમ તૈયાર કરી તપાસ આદરી હતી. (પીટીઆઇ)

સંબંધિત લેખો

Back to top button