કસારા જતી લોકલ ટ્રેન સર્વિસ ઠપ | મુંબઈ સમાચાર

કસારા જતી લોકલ ટ્રેન સર્વિસ ઠપ

થાણા: શહાડ અંબિવલી સ્ટેશન વચ્ચે એક માલગાડીમાં ગુરુવારે બપોરે ખામી સર્જાતા કસારા માર્ગ પરની સ્થાનિક ટ્રેન સર્વિસ થોડા સમય માટે સ્થગિત કરી દેવામાં આવી હતી. માલગાડી અડધો કલાકથી વધુ સમય સુધી બંધ રહેતા લોકલ ટ્રેનો મોડી પડી રહી હતી.

મધ્ય રેલવે લાઇન પર કર્જત-કસારા માર્ગ મહત્વપૂર્ણ છે. આ વિસ્તારમાં વર્ષોથી મોટા પાયે શહેરીકરણ જોવા મળ્યું છે. લાંબા અંતરની ટ્રેનો કસારા માર્ગ પર નાશિક તરફ આગળ વધે છે. નાશિકથી મુંબઈ અને થાણા તરફ જતા મુસાફરો માટે પણ આ માર્ગ મહત્વપૂર્ણ છે. કસારા વિસ્તારના હજારો કર્મચારીઓ દરરોજ મુંબઈ અને થાણા તરફ આવ જા કરે છે. છેલ્લા કેટલાક વર્ષોમાં કસારા રેલવે સ્ટેશન પરથી મુસાફરી કરતા લોકોની સંખ્યામાં ખાસ્સો વધારો થયો છે. દરમિયાન ગુરુવારે બપોરે 12.50 વાગ્યાના અરસામાં શહાડ આંબીવલી સ્ટેશન વચ્ચે માલગાડીમાં ખામી સર્જાઈ હતી. અચાનક ખામી સર્જાતા મુસાફરોને હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો: ‘મરાઠી બોલો નહીં તો નીકળી જાઓ…’ ભાષા વિવાદ લોકલ ટ્રેનમાં પહોંચ્યો; મહિલાઓ ઝઘડી પડી

બે દિવસ પહેલા મંગળવારે રાત્રે સાડા નવ વાગ્યાની આસપાસ એક ઉપનગરીય ટ્રેન મુંબઈથી કસારા તરફ જઈ રહી હતી ત્યારે ભૂસ્ખલન થતાં ટ્રેનના પાછળના ત્રીજા કોચના દરવાજા પર ઉભેલા મુસાફરને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટનાથી મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button