આમચી મુંબઈમહારાષ્ટ્ર

મુંબઈ એરપોર્ટ માટે મહત્ત્વના સમાચારઃ આ તારીખે બે રન-વે બંધ રહેશે

મુંબઈ: મુંબઈના છત્રપતિ શિવાજી મહારાજ એરપોર્ટના બે રન-વે નવમી મેએ ચોમાસા પહેલાની જાળવણીના કામકાજ માટે છ કલાક માટે બંધ રાખવામાં આવવાનું છે. મુંબઈ એરપોર્ટ પર નવમી મેના ગુરુવારના સવારે અગિયાર વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી કુલ મળીને છ કલાક માટે એરપોર્ટના બે રન-વે બંધ રહેશે, જેથી એકંદરે ફલાઈટની સર્વિસ પર અસર થશે.

એરપોર્ટ પ્રશાસન દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ રન-વે 09/27 અને રનવે 14/32ને નવમી મેએ જાળવણીના કામ માટે બંધ રાખવામાં આવવાનો છે, જેને લીધે એરપોર્ટ પરના બે રનવે બંધ રાખવામાં આવવાના છે.

આ બાબતે ડિસેમ્બર મહિનામાં જ વિમાન કંપનીઓને જણાવવામાં આવ્યું હતું જોકે આ કામકાજને લીધે ફલાઇટ સેવા અને પ્રવાસીઓને કોઈપણ તકલીફ આવશે નહીં એવો દાવો પ્રશાસન દ્વારા કરવામાં આવ્યો છે.

આ એરપોર્ટનો વિસ્તાર 1,033 એકરમાં ફેલાયેલો છે. આ જાળવણીના કામમાં માઈક્રો ટેક્સચર અને મેક્રો ટેક્સચર વેઅર એન્ડ ટિયર માટે રન-વેની સપાટીની તપાસ કરવામાં આવશે. આ કામને લીધે એરપોર્ટનું એરસાઈડ સ્ટ્રીપને મજબૂત બનશે, એમ એક અધિકારીએ કહ્યું હતું.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker