આમચી મુંબઈમહારાષ્ટ્ર

ગણેશોત્સવમાં લાઉડ સ્પીકર હાનિકારક હોય તો ઇદ પર પણ નુક્સાનકારકઃ હાઇ કોર્ટની ટિપ્પણી

મુંબઇઃ બોમ્બે હાઈકોર્ટે બુધવારે કહ્યું હતું કે જો ગણેશ ઉત્સવ દરમિયાન એક લેવલથી વધુ જોરથી લાઉડસ્પીકર વગાડવું નુકસાનકારક હોય તો ઈદ દરમિયાન પણ લાઉડસ્પીકર વગાડવું નુકસાનકારક છે. કોર્ટે કહ્યું કે ગણેશ ઉત્સવની જેમ ઈદ-મિલાદ-ઉન-નબીના જુલૂસમાં પણ લાઉડસ્પીકર વગાડવું ખોટું છે.

ચીફ જસ્ટિસ ડીકે ઉપાધ્યાય અને જસ્ટિસ અમિત બોરકરની ડિવિઝન બેન્ચે ઈદ-મિલાદ-ઉન-નબીના સરઘસો દરમિયાન ‘ડીજે’, ‘લેસર લાઇટ’ વગેરેના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની વિનંતી કરતી અનેક જાહેર હિતની અરજીઓ (પીઆઈએલ) પર સુનાવણી કરતી વખતે આ ટિપ્પણી કરી હતી.

પીઆઈએલમાં દાવો કરવામાં આવ્યો હતો કે કુરાન કે હદીસ (ધાર્મિક પુસ્તકો)માં ડીજે સિસ્ટમ અને લેસર લાઇટના ઉપયોગનો ઉલ્લેખ નથી. બેન્ચે ગણેશ ઉત્સવની બરાબર આગળ ગયા મહિને આપેલા આદેશનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તહેવારો દરમિયાન ધ્વનિ પ્રદૂષણ (રેગ્યુલેશન એન્ડ કંટ્રોલ) નિયમો, 2000 હેઠળ નિર્દિષ્ટ મર્યાદાઓથી વધુ અવાજ કરતી સાઉન્ડ સિસ્ટમ્સ અને લાઉડસ્પીકર્સના ઉપયોગ પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી હતી.

આપણ વાંચો: Pune Porsche accident: બોમ્બે હાઈકોર્ટે આરોપી સગીરને મુક્ત કરવા આદેશ આપ્યો, કાકીને સોંપાશે કસ્ટડી

અરજદારોના વકીલ ઓવૈસ પેચકરે કોર્ટને તેના અગાઉના આદેશમાં ઈદ ઉમેરવાની અપીલ કરી હતી, જેના પર બેન્ચે કહ્યું હતું કે તે જરૂરી નથી કારણ કે આદેશમાં ‘જાહેર તહેવાર’નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

અરજીઓનો નિકાલ કરતાં કોર્ટે કહ્યું હતું કે, ‘જો ડીજે, લેસર લાઇટના ઉપયોગ ગણેશ ચતુર્થીના પ્રસંગે નુકસાનકારક હોય તો ઈદ પર પણ તે નુકસાનકારક જ છે.’ બેન્ચે અરજદારોને માનવો પર આવી લેસર લાઇટની હાનિકારક અસરો વિશે વૈજ્ઞાનિક પુરાવા બતાવવા પણ કહ્યું હતું.

બેન્ચે કહ્યું કે આવી અરજી દાખલ કરતા પહેલા યોગ્ય સંશોધન કરવું જોઈએ. ન્યાયાધીશોએ કહ્યું હતું કે, ‘તમે સંશોધન કેમ ન કર્યું?’ જ્યાં સુધી તે વૈજ્ઞાનિક રીતે સાબિત ન થાય કે લેસર લાઇટ્સ માનવોને નુકસાન પહોંચાડે છે, તો અમે આવા મુદ્દા પર નિર્ણય કેવી રીતે લઈ શકીએ?’ બેન્ચે કહ્યું હતું કે અરજદારોએ અસરકારક નિર્દેશો આપવામાં કોર્ટને મદદ કરવી જોઈએ.

પીઆઈએલ દાખલ કરતા પહેલા તમારે મૂળભૂત સંશોધન કરવું જોઈએ. તમારે કોર્ટને અસરકારક નિર્દેશો આપવામાં મદદ કરવી જોઈએ. અમે નિષ્ણાતો નથી. અમે લેસરનો ‘L’ પણ જાણતા નથી.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત