આમચી મુંબઈમહારાષ્ટ્ર

વિદેશથી સામાનમાં છુપાવી લવાયેલા ચાર હોર્નબિલપક્ષીનો છુટકારો: બે પ્રવાસીની ધરપકડ…

મુંબઈ: અત્યંદ દુર્લભ ગણાતા પક્ષીમાંથી એક હોર્નબિલ બર્ડસ દાણચોરીથી મુંબઈ લાવનારા બે પ્રવાસીની કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટે (એઆઇયુ) મુંબઈ એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી, એમ અધિકારીએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : પુણેના મ્યુઝિકલ કોન્સર્ટમાંથી 36 મોબાઈલ ચોરાયા: ચારની ધરપકડ…

પ્રવાસીઓમાં મહિલાનો સમાવેશ હોઇ તેઓ ચાર હોર્નબિલ પક્ષી સામાનમાં છુપાવીને લાવ્યાં હતાં. આ પ્રકરણે બંનેની ધરપકડ કરવામાં આવી હતી.

બંને પ્રવાસી સોમવારે બપોરના બેંગકોકથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં મુંબઈના છત્રપતિ શિવાજી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર આવ્યા હતા. પ્રવાસીઓના સામાનની તલાશી લેવાતાં ચાર પક્ષી અંદર છુપાવવામાં આવ્યાં હોવાનું જણાતાં બંને સામે કાર્યવાહી કરવામાં આવી હતી.

પક્ષીઓને બાદમાં વન અધિકારીઓને સોંપવામાં આવ્યાં હતાં, જેમણે આ દુર્લભ પક્ષીઓ વિસાયન અને સુલાવેસી જાતિના હોવાનું જણાવ્યું હતું.

સામાનમાં ચોકલેટથી ભરેલી એક બેગની અંદર પ્લાસ્ટિકના ડબ્બામાં પક્ષીઓને છુપાવાયાં હતાં, એમ કસ્ટમ્સના અધિકારીએ જણાવ્યું હતું.

હોર્નબિલ પક્ષીઓને ક્ધટેઇનરમાં રાખવામાં આવ્યાં હતાં. સદનસીબે તે જીવિત હતાં. તેમને રેસકિંક એસોસિયેશન ફોર વાઇલ્ડલાઇફ વેલફેર સંસ્થાના વાઇલ્ડલાઇફ નિષ્ણ્રાતોની સલાહથી ખાવાનું અને પાણી અપાયું હતું.

વન અધિકારીઓ દ્વારા યોગ્ય વિધિઓ બાદ પક્ષીઓને ફરીથી બેંગકોક મોકલી દેવામાં આવ્યાં હતાં. વાઇલ્ડલાઇફ ક્રાઇમ ક્ધટ્રોલ બ્યૂરો દ્વારા વાઇલ્ડલાઇફ (પ્રોટેક્શન) એક્ટની જોગવાઇઓ અનુસાર પક્ષીઓને તેમના મૂળ દેશમાં મોકલી આપવા આદેશ જારી કર્યા હતા.

આ પણ વાંચો : નાગપુરથી હજારો કરોડના બૉમ્બની નિકાસ

આ એક્ટ અનુસાર અનધિકૃત રીતે તસ્કરીમાં જપ્ત કરાતાં દુર્લભ પશુ-પક્ષીઓને તેમના મૂળ દેશમાં પાછા મોકલી દેવાની જોગવાઇ છે, જે અનુસાર આ કાર્યવાહી કરવામાં આવી હતી. (પીટીઆઇ)

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker