આમચી મુંબઈ

Mumbai: આ ગેંગસ્ટરને લાગી રહી છે એન્કાઉન્ટરની બીક, કોર્ટમાં કરી અરજી


Mumbai: 1993ના મુંબઈ બ્લાસ્ટ કેસનો આરોપી અબુ સાલેમ પોતાના જીવ માટે ડરમાં છે. તેણે આશંકા વ્યક્ત કરી છે કે તળોજા જેલમાંથી અન્ય જેલમાં શિફ્ટ કરવાના બહાને તેનું એન્કાઉન્ટર થઈ શકે છે. આટલું જ નહીં, તેણે અરજી દ્વારા કોર્ટને આવા સ્થળાંતરની પરવાનગી નકારવા વિનંતી કરી છે. સુનાવણીના અંતે, વિશેષ અદાલતે તળોજા જેલ પ્રશાસનને નિર્દેશ આપ્યો કે આગળની સૂચનાઓ સુધી અબુ સાલેમને તળોજા જેલમાંથી ખસેડવામાં ન આવે.

19 વર્ષ પહેલા સાલેમનું પોર્ટુગલથી પ્રત્યાર્પણ કરવામાં આવ્યું હતું. હાલમાં તેને એક જેલમાંથી બીજી જેલમાં લઈ જતી વખતે હુમલો થવાનો ભય રહે છે. તેણે સ્પેશિયલ કોર્ટમાં અરજી દાખલ કરીને માંગણી કરી છે.

કોર્ટે આ મામલે તળોજા જેલના સુપ્રિટેન્ડેન્ટ પાસે જવાબ માંગ્યો છે. આ કેસની આગામી સુનાવણી 28 મેના રોજ નક્કી કરવામાં આવી છે. કોર્ટે જેલ પ્રશાસનને આદેશ આપ્યો છે કે આગામી આદેશો સુધી અબુ સાલેમને અન્ય જેલમાં ખસેડવામાં ન આવે. પોર્ટુગલથી તેના પ્રત્યાર્પણ બાદ અબુ સાલેમને આર્થર રોડ જેલમાં રાખવામાં આવ્યો હતો. મુસ્તફા ડોસા પર હુમલો કર્યા બાદ તેને તળોજા જેલમાં રાખવામાં આવ્યો હતો. અબુ સાલેમ 19 વર્ષ પહેલા ભારત પ્રત્યાર્પણ થયા બાદ જેલમાં છે.

1993 બ્લાસ્ટ કેસના દોષિત અબુ સાલેમને પોર્ટુગલથી ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો. હાલમાં તે તળોજા જેલના અંડા સેલમાં રહે છે, પરંતુ હવે તળોજા જેલ પ્રશાસને અબુ સાલેમને અંડા સેલ રિપેર કરવાના હેતુથી બીજી જેલમાં શિફ્ટ કરવાનો નિર્ણય લીધો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
કૉન્ટેક્ટ લેન્સ પહેરતા પહેલા આ જાણી લો સાવધાન, તમે પણ આ રીતે પાણી પીવો છો? આજે જ કરો બંધ નહીંતર… પૅરિસ ઑલિમ્પિક્સના ઍથ્લીટોના આ રહ્યા અનોખી ડિઝાઇનના ડ્રેસ… દાયકાઓ બાદ ગુરુપૂર્ણિમા પર બનશે મંગળની યુતિ, આ રાશિઓના જીવનમાં થશે મંગલ જ મંગલ…