ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા ભાવિકોને ટોલ માફી: એકનાથ શિંદે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા ભાવિકોને ટોલ માફી: એકનાથ શિંદે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ગણેશોત્સવ દરમિયાન કોંકણ જતા ગણેશ ભક્તો માટે નાયબ મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ મોટી રાહત આપતો નિર્ણય લીધો છે.

23 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી, ગણેશોત્સવ માટે કોંકણ જતા વાહનો અને એસટી બસોને મુંબઈ-બેંગલુરુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, મુંબઈ-ગોવા રાષ્ટ્રીય ધોરીમાર્ગ તેમજ જાહેર બાંધકામ વિભાગ અને મહારાષ્ટ્ર રાજ્ય માર્ગ વિકાસ નિગમ (એમએસઆરડીસી)ના અધિકારક્ષેત્ર હેઠળના રસ્તાઓ પર ટોલ માફી મળશે.

આપણ વાંચો: લાડકી બહિણ યોજનાનો ફટકો: ગણેશોત્સવમાં નહીં મળે ‘આનંદાચા શિધા’, શિવ ભોજન થાળી પણ બંધ થશે?

આ માટે ‘ગણેશોત્સવ 2025 – કોંકણ દર્શન’ નામનો એક ખાસ ટોલ માફી પાસ જારી કરવામાં આવશે અને તેના પર વાહન નંબર અને વાહન માલિકની માહિતી નોંધવામાં આવશે.

આ પાસ સંબંધિત પ્રાદેશિક પરિવહન અધિકારી, પોલીસ અને પરિવહન વિભાગ પાસે ઉપલબ્ધ રહેશે. પરતની યાત્રા માટે પણ આ જ પાસ સ્વીકારવામાં આવશે.
આ નિર્ણયથી કોંકણ જતા લાખો શ્રદ્ધાળુઓને મોટી રાહત મળશે.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button