આમચી મુંબઈ
થાણે શહેરમાં પાંચ ટકા પાણીકાપ લાગૂ

(અમારા પ્રતિનિધિ તરફથી)
થાણે: મુંબઈમાં ૩૦ મેથી પાંચ ટકા પાણીકાપ લાગુ થયા બાદ હવે થાણે શહેરમાં પણ પાંચ ટકા પાણીકાપ લાગુ કરી દેવામાં આવ્યો છે. તો બુધવાર પાંચ જૂનથી ૧૦ ટકા પાણીકાપ અમલમાં આવશે.
મુંબઈ મહાનગરપાલિકાને પાણીપુરવઠો કરનારા જળાશયમાં પાણીની સપાટીમાં થયેલા ઘટાડો થયો છે. પાણીનો સ્ટોક વધુમાં વધુ સમય ચાલી શકે તે માટે તકેદારીના પગલારૂપે મુંબઈ મહાનગરપાલિકાએ પાંચ ટકા પાણીકાપનો નિર્ણય લીધો છે. એ સાથે જ મુંબઈ મહાનગરપાલિકાએ થાણે શહેરને પણ પુરવઠો કરતા પાણીમાં પાંચ ટકાનો કાપ મુક્યો છે. તેથી થાણે મહાનગરપાલિકાને પણ પોતાના વિસ્તારમાં પાંચ ટકા પાણીકાપ લાગુ કરવો પડ્યો છે. બુધવાર, પાંચ જૂનથી આ પાણીકાપ ૧૦ ટકા થઈ જશે.