આમચી મુંબઈ

વિસર્જન સરઘસ પર પથ્થરમારામાં પાંચ જણ જખમી: 15ની ધરપકડ

છત્રપતિ સંભાજીનગર: ગણપતિ વિસર્જન વખતે ગુલાલ નાખવા પરથી થયેલા વિવાદમાં છત્રપતિ સંભાજીનગરમાં વિસર્જન સરઘસ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ ઘટનામાં ત્રણ મહિલા સહિત પાંચ જણ ઘવાતાં પોલીસે 15 જણની ધરપકડ કરી હતી.

પોલીસના જણાવ્યા મુજબ ઘટના મંગળવારની રાતે 11.30 વાગ્યાની આસપાસ પુંડલિકનગર વિસ્તારમાં બની હતી. ગણેશ વિસર્જન વખતે એક મંડળના કાર્યકરોએ બીજા મંડળના કાર્યકરો પર ગુલાલ નાખ્યો હતો, જેને પગલે બન્ને મંડળના કાર્યકરો વચ્ચે વિવાદ થયો હતો.
ઉગ્ર બોલાચાલી પછી વાત વણસતાં એક મંડળના કાર્યકરોએ પથ્થરમારો કરવાનું શરૂ કર્યું હતું. આ ઘટનામાં ત્રણ મહિલા અને બે પુરુષ ઘવાયાં હતાં.

બનાવની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. એસઆરપીએફની ટીમ પણ ઘટનાસ્થળે મોકલવામાં આવી હતી. પોલીસે ચાર આરોપીને તાત્કાલિક તાબામાં લીધા હતા.
પોલીસની ટીમ પહોંચતાં જ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયેલા અન્ય 11 જણને પણ પકડી પાડવામાં આવ્યા હતા. આ પ્રકરણે પોલીસે ગુનો નોંધી 15 જણની ધરપકડ કરી હોવાનું અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)

Show More

Related Articles

Back to top button
આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ Antilia કરતાં પણ અનેક ગણું મોટું છે ભારતમાં આવેલું આ ઘર, એક વાર જોશો તો…