ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં...
આમચી મુંબઈ

ઘાટકોપરમાં ઈમારતમાં આગ: કોઈ જાનહાનિ નહીં…

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ
: ઘાટકોપરમાં રેલવે સ્ટેશન પાસે આવેલા મેટ્રોપોલ બિલ્ડિંગના પહેલા માળે સોમવારે સાંજે ભીષણ આગ ફાટી નીકળી હતી. સદનસીબે આગમાં કોઈ જાનહાનિ થઈ નહોતી.

ઘાટકોપર વેસ્ટમાં ઝુનઝુનવાલા કોલેજ નજીક ગ્રાઉન્ડ પ્લસ ૧૩ માળની બહુમાળીય કમર્શિયલ ઈમારત આવેલી છે. સાંજના લગભગ ૫.૫૯ વાગ્યાની આસપાસ ઈમારતના બીજા માળ પર બંધ રહેલી ઓફિસમાં આગ લાગી હતી.

ઘટના સ્થળે ફાયરબ્રિગેડે પહોંચીને ૧૫ મિનિટમાં આગ બુઝાવી દીધી હતી. સદ્નસીબે આગમાં કોઈ જાનહાનિથઈ નહોતી.

Sapna Desai

સપના દેસાઈ (BMC) પત્રકારત્વમાં બે દાયકાથી વધુ સમય સુધી અને હાલ મુંબઈ સમાચારમાં વરિષ્ઠ સંવાદદાતા તરીકે કાર્યરત છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન, એમએમઆરડીએ, હવામાન અને મુંબઈના રાજકીય પરિદૃશ્ય પર રિપોર્ટિંગ કરવામાં નિષ્ણાત છે. તેમની વ્યાપક કારકિર્દીમાં ફિલ્ડ રિપોર્ટિંગ અને ડેસ્ક કાર્ય બંનેનો સમાવેશ થાય છે. નાગરિક સમસ્યાઓ, હ્યુમન ઇન્ટરેસ્ટ સ્ટોરીઝ તથા… More »

સંબંધિત લેખો

Back to top button