આમચી મુંબઈમહારાષ્ટ્ર

‘મી પુન્હા યેઈન’ ફરી આ મુદ્દે ફડણવીસે આપ્યું મહત્ત્વનું નિવેદન, કોના પર તાક્યું નિશાન?

મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે 2019ની ચૂંટણીમાં પોતાની પંચ લાઇન ‘મી પુન્હા યેઈન’ એટલે ‘હું પાછો આવીશ’ ઉપર મજાક કરવામાં આવી રહી હતી અને તેમની હાંસી ઉડાવાઇ રહી હતી તે વાતને યાદ કરીને મહત્ત્વનું નિવેદન આપ્યું હતું.

તેમણે કહ્યું હતું કે ચૂંટણીનો અમારો નારો હું પાછો આવીશ હતો જેની મજાક ઉડાવાઇ રહી હતી. જોકે હું બે પક્ષના ભાગલા કરીને સત્તામાં પાછો આવ્યો છું. શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેનામાં પડેલા બે ફાંટા અંગે તેમનો ઇશારો હતો.

ઉલ્લેખનીય છે કે જૂન 2022માં એકનાથ શિંદેએ બળવો કર્યો ત્યાર બાદ શિવસેનાના બે ભાગલા પડી ગયા હતા, જ્યારે નેશનલિસ્ટ કૉંગ્રેસ પાર્ટી (એનસીપી-રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના ભાગલા ગયા વર્ષે જુલાઇ મહિનામાં થયા હતા. શરદ પવારના ભત્રીજા અજિત પવારે સત્તાધારી પક્ષ સાથે જોડાણ કરતા એનસીપીના પણ બે ફાંટા પડી ગયા હતા.

ફડણવીસે આ વાતનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે હું ફક્ત પાછો જ નથી આવ્યો પણ બે પક્ષના ભાગલા પાડીને પાછો સત્તામાં આવ્યો છું. સત્તામાં પાછા આવવા માટે અઢી વર્ષ લાગ્યા હતા. મેં 2019ની વિધાનસભાની ચૂંટણી દરમિયાન એક કવિતા વાંચી હતી જેની એક પંક્તિ ખૂબ જ પ્રખ્યાત થઇ હતી.

ભાજપ (ભારતીય જનતા પાર્ટી) ઘણા જ સારા આંકડાઓ સાથે બેઠકો જીતી હતી અને શિવસેના સાથે મળીને સરકાર બનાવી શકી હોત, પરંતુ ઉદ્ધવ ઠાકરેએ અમારી સાથે દગો કર્યો અને અમારે વિપક્ષમાં બેસવું પડ્યું, એમ ફડણવીસે જણાવ્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Kuno National Park Celebrates Mothers Among Magnificent Mammals રાહુનો મીન રાશિમાં પ્રવેશ કઈ રાશિને ફળશે Bollywood Beauties Captivate as Enchanting Tawaifs Unlock the Power of Tulsi on Akshay Tritiya: Simple Remedies for Abundance & Wellbeing