આમચી મુંબઈ

રાજ્યસભામાં નોમિનેટ: ફડણવીસે ઉજ્જવલ નિકમને અભિનંદન આપ્યા

નાગપુર: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રવિવારે પ્રખ્યાત વકીલ ઉજ્જવલ નિકમને રાજ્યસભામાં નોમિનેટ થવા બદલ અભિનંદન આપ્યા હતા અને આતંકવાદીઓ અને દેશના દુશ્મનો સામેના કેસ લડવામાં તેમના યોગદાનની પ્રશંસા કરી હતી.

નિકમ 26/11 મુંબઈ આતંકવાદી હુમલાના કેસમાં વિશેષ સરકારી વકીલ હતા.

ફડણવીસે નાગપુરમાં પત્રકારોને જણાવ્યું હતું કે, ‘મને ખૂબ આનંદ છે કે દેશના દુશ્મનો સામે કોર્ટમાં કેસ લડનારા અને જેમના પ્રયાસોથી ઘણા આતંકવાદીઓ અને ગુનેગારોને સજા થઈ હતી તેવા પ્રખ્યાત વકીલને રાજ્યસભા માટે નોમિનેટ કરવામાં આવ્યા છે.’

આ પણ વાંચો: મરાઠીમાં વાત કરીને પીએમ મોદીએ ઉજ્જવલ નિકમને કરી હતી રાષ્ટ્રપતિના નિર્ણયની જાણ

‘હું રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનું છું. આ દર્શાવે છે કે વડા પ્રધાન હંમેશા રાષ્ટ્રવાદીઓની પડખે ઉભા રહે છે,’ એમ તેમણે કહ્યું હતું.

ભાજપે નિકમને મુંબઈ ઉત્તર-મધ્ય બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી માટે પક્ષના ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતાર્યા હતા, પરંતુ તેઓ કોંગ્રેસના વર્ષા ગાયકવાડ સામે હારી ગયા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button