મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

મહાનગરપાલિકાની ચૂંટણીમાં બેઠક ફાળવણીમાં શિવસેના સાથે અન્યાય નહીં થાય: શિંદે

મુંબઈ: આગામી બૃહદ મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (મુંબઈ મહાનગરપાલિકા) ચૂંટણી માટે બેઠકો નક્કી કરવામાં પસંદગીની યોગ્યતા મુખ્ય પરિબળ હશે, એમ મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને શિવસેનાના પ્રમુખ એકનાથ શિંદેએ જણાવ્યું હતું.

શિવસેનાના શાખા પ્રમુખોને સંબોધિત કરતા શિંદેએ એમ પણ કહ્યું હતું કે પાલિકા ચૂંટણીમાં ગઠબંધનના દરેક ઘટકને ફાળવવામાં આવેલી બેઠકોની સંખ્યા કરતાં મહાયુતિની સામૂહિક જીત વધુ મહત્વપૂર્ણ છે.

આ પણ વાંચો: મુંબઈ મહાનગરપાલિકાના વોર્ડની રચના માટે ફક્ત આટલા લોકોના આવ્યા વાંધા અને સૂચનો

તેમણે એવી પણ સ્પષ્ટતા કરી હતી કે મહાયુતિના બેઠકોની વહેંચણી કરાર દરમિયાન શિવસેનાને યોગ્ય સન્માન આપવામાં આવશે. મહાયુતિમાં ભાજપ, શિવસેના અને એનસીપીનો સમાવેશ છે. શિવસેના જાન્યુઆરી 2026ના અંત સુધીમાં યોજાનારી નાગરિક ચૂંટણી પહેલા લોકસભા મતવિસ્તાર મુજબ બેઠકોનું આયોજન કરી રહી છે.

મુંબઈ મહાનગરપાલિકા પર ભગવો ઝંડો લહેરાશે એવો દાવો કરી નાયબ મુખ્ય પ્રધાને ઉમેર્યું હતું કે શિવસેનાના શાખા પ્રમુખો કામની સારી રીતે વાકેફ છે, પણ સમસ્યા સમજવા માટે લોકો સાથે તેમણે વાતચીત કરવી જોઈએ.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button