ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચે શાબ્દિક યુદ્ધ | મુંબઈ સમાચાર

ભાજપમાં જોડાવાની અટકળો વચ્ચે એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચે શાબ્દિક યુદ્ધ

મુંબઈઃ એક સમયે ભાજપ (ભારતીય જનતા પાર્ટી)ના દિગ્ગજની જોડી તરીકે જાણીતા એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ સમગ્ર મહારાષ્ટ્રમાં જાણીતો છે. હાલમાં જ ગિરીશ મહાજનને દાવો કર્યો હતો કે એકનાથ ખડસે દિલ્હીમાં અમારા નેતાઓને પગે લાગે છે. ખડસે ભાજપમાંથી સાઇડલાઇન થયા બાદ તેમણે રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીનો હાથ પકડ્યો. ગયા વર્ષે, તેમણે દિલ્હીમાં ભાજપના મોટા નેતાઓ સાથે મુલાકાત કરી હતી. પરંતુ હવે ફરી એકનાથ ખડસેની ભાજપમાં જોડાવાની અટકળો પર ફૂલસ્ટોપ લાગી ગયો છે.

ખડસે અને મહાજન તક મળતા એકબીજાને જાહેરમાં ટોણા માર્યા કરે છે. હવે મહાજને ફરી એકવાર ખડસે પર નિશાન સાધ્યું છે. હની ટ્રેપનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે તેના પર કાર્યવાહી થઈ ને? આટલી બધી કાર્યવાહી થઈ છે. બે કે ત્રણ ગુનાહિત કેસો વિવિધ સ્થળોની મહિલાઓની ફરિયાદો પર આધારિત છે.

આ પણ વાંચો: શું એકનાથ ખડસે અને ગિરીશ મહાજન વચ્ચેનો વિવાદ ખતમ થશે? રક્ષા ખડસેએ કહ્યું, “બંને નેતાઓને…”

જો કોઈ મહિલાઓએ મુંબઈમાં, પુણેમાં કે નાશિકમાં અલગ-અલગ જગ્યાએ ફરિયાદ કરી હશે તો ગુનાઓ નોંધાશે. તમને આટલો પેટનો દુખાવો શા માટે થઈ રહ્યો છે?” ખડસેને ટોણો મારતા મહાજને કહ્યું. “હવે હું તેમનો ઇન્ટરવ્યૂ જોઈ રહ્યો હતો. મને ખરેખર તેમની ઈર્ષ્યા થાય છે. મારો મતલબ છે કે, હું ગુસ્સે નથી પણ મને ખડસેની ઈર્ષ્યા થાય છે,” મહાજને કહ્યું.

હવે તેઓ કહે છે કે મેં શું કર્યું? તમારો ભોસરી પ્રકરણ ખબર છે. તમે ચોરી કરો, લૂંટફાટ કરો અને દિલ્હી જઇ ને પગે પડો છો. તમને અમારા નેતાઓ તરફથી છૂટ મળી રહી છે. તેથી જ બધું ચાલી રહ્યું છે, મહાજને કહ્યું. તેઓ બકવાસ કરી રહ્યા છે. તેમનું માનસિક સંતુલન બગડી ગયું છે. હું તેમને આટલા અસહ્ય બનતા જોઈ શકતો નથી. તેથી, હું તેમના વિશે વધુ વાત કરીશ નહીં, મહાજને કહ્યું હતું.

આ પણ વાંચો: એકનાથ ખડસેની ભાજપમાં થશે ઘરવાપસી?: પાર્ટીમાં ‘મહાભારત’?

તેમણે વધુમાં કહ્યું કે, “મને લાગે છે કે વિપક્ષી પક્ષો પાછળ કોઈ જાહેર સમર્થન બાકી નથી. કોઈ પણ તેમને મત આપવા તૈયાર નથી. લોકોએ અમને આટલી મોટી બહુમતીથી ચૂંટ્યા છે. અમે દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છીએ અને તેથી તેમની પાસે કહેવા માટે કંઈ બચ્યું નથી. તેમણે તેમના અઢી વર્ષના કાર્યકાળમાં કંઇ ખાસ કર્યુ નથી અને તેથી હવે તેમની પાસે ફક્ત એક જ મુદ્દો છે – સરકારને કેવી રીતે બદનામ કરવી,” તેમણે ટીકા કરી હતી.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button