આમચી મુંબઈમહારાષ્ટ્ર

રત્નાગિરિના 50 મંદિરમાં ડ્રેસકોડ લાગુ

મુંબઈ: રાજાપુર તાલુકાના કશેળી ખાતેના શ્રી કનકાદિત્ય મંંદિર, આડીવરેના મહાકાલી મંદિર, રાજાપુરના વિઠ્ઠલરામ પંચાયતન મંદિર, રત્નાગિરિના સ્વયંભૂ શ્રી કાશી વિશ્ર્વેશ્ર્વર દેવસ્થાન સહિત રત્નાગિરિ જિલ્લાના 50 મંદિરોમાં ડ્રેસકોડ લાગુ કરવામાં આવ્યો છે.

આ ડ્રેસકોડમાં અંગપ્રદર્શન થતું હોય તેવા, ટુંકા અને અશોભનીય વસ્ત્રો ધારણ કરીને મંદિરમાં પ્રવેશ કરવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ ડ્રેસકોડ બાબતે મંદિરની બહાર બોર્ડ મૂકવામાં આવ્યા છે. મહારાષ્ટ્ર મંદિર મહાસંઘ દ્વારા આ બાબતની જાણકારી અખબારી યાદી બહાર પાડીને આપવામાં આવી છે.

મહારાષ્ટ્ર સરકારે 2020માં રાજ્યની બધી જ સરકારી કચેરીઓમાં ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આટલું જ નહીં દેશના અનેક મંદિરો, ગુરુદ્વારા, ચર્ચ, મસ્જિદો તેમ જ અન્ય પ્રાર્થના સ્થળો, ખાનગી સંસ્થાનો, સ્કૂલ-કોલેજો, અદાલતો, પોલીસ વગેરે દરેક સ્થળે ડ્રેસ કોડ લાગુ કરવામાં આવ્યો છે. આ જ ધોરણે મંંદિરની પવિત્રતા, શિષ્ટાચાર અને સંસ્કૃતિનું જતન કરવા માટે મંદિર મહાસંઘ દ્વારા રત્નાગિરિ જિલ્લાના 11 સ્થળે બેઠકો કરવામાં આવી હતી અને આ બેઠકો બાદ આખરે 50 મંદિરોમાં ભારતીય સંસ્કૃતિ અનુરુપ ડ્રેસ કોડ લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ… ફિલ્મી છે Sunil Chhetriની Love Story, જાણશો તો ખુશ થઈ જશો… આ Celebs છે Raha Kapoorના કાકા, ફોઈ-ફુઆ… નવમું નામ જાણીને ચોંકી ઉઠશો..