ઉદ્ધવ ઠાકરે રાહુલ ગાંધી સહિત ‘ઇન્ડિ’ ગઠબંધનના નેતાઓને મળશે, કેમ ખાસ છે આ મુલાકાત?

મુંબઈઃ શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરે છથી 8 ઓગસ્ટ દરમિયાન વિપક્ષી ગઠબંધનની બેઠકમાં હાજરી આપવા માટે દિલ્હી જશે. પાર્ટીના નેતા અને રાજ્યસભાના સભ્ય સંજય રાઉતે આ માહિતી આપી હતી. સંજય રાઉતે કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને આ બેઠક માટે ખાસ આમંત્રણ આપ્યું છે.
રાહુલ ગાંધીએ ઉદ્ધવ ઠાકરેને આમંત્રણ આપ્યું
સંજય રાઉતે કહ્યું કે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આ બેઠક માટે ઉદ્ધવ ઠાકરેને ખાસ આમંત્રણ આપ્યું છે, જેમાં શિવસેના (UBT)ના વડા હિન્દી લાદવા જેવા મુદ્દાઓ પર ચર્ચા કરશે.
આપણ વાંચો: Assembly Election: યોગી આદિત્યનાથે વિપક્ષી ગઠબંધન અંગે વાશિમમાં શું કહ્યું?
રાહુલ ગાંધી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન ગેરરીતિઓનો આરોપ લગાવી રહ્યા છે અને આ મુદ્દો પણ બેઠક દરમિયાન ઉઠાવવામાં આવે તેવી શક્યતા છે. દિલ્હીની તેમની મુલાકાત દરમિયાન, ઠાકરે ઇન્ડિ એલાયન્સ (ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટલ ઇન્ક્લુઝિવ એલાયન્સ)ના ઘટક પક્ષોના સભ્યોને પણ મળે તેવી શક્યતા છે.
‘ઇન્ડિ’ ગઠબંધનની બેઠક
સાતમી ઓગસ્ટે ‘ઇન્ડિ’ ગઠબંધનના નેતાઓની એક બેઠક બોલાવવામાં આવી છે. આ બેઠક પહેલા, ઉદ્ધવ ઠાકરે અને કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વચ્ચે ટેલિફોન પર ચર્ચા થઈ હતી.
કહેવામાં આવી રહ્યું છે કે આ વાતચીતમાં આગામી બેઠકની રણનીતિ અને સંભવિત વિષયો પર ચર્ચા કરવામાં આવી છે. આ બેઠક અને ચર્ચા ‘ઇન્ડિ’ ગઠબંધનની એકતાના સંદર્ભમાં ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.
આપણ વાંચો: શા માટે મતગણતરી પહેલા જ વિપક્ષી ગઠબંધનના નેતાઓ પહોંચ્યા ચૂંટણી પંચ ?
ઉદ્ધવ ઠાકરેની આ મુલાકાત ફક્ત રાજકીય બેઠકો સુધી સીમિત ન રહેતા, તેઓ દિલ્હીમાં કેટલાક અન્ય મહત્વપૂર્ણ વ્યક્તિઓને પણ મળી શકે છે. મહારાષ્ટ્રમાં તાજેતરના રાજકીય ઉથલપાથલ પછી તેમની મુલાકાત ખાસ છે.
ઇન્ડિ. ગઠબંધનની બેઠકમાં તેઓ સ્પષ્ટપણે પોતાનું વલણ રજૂ કરશે અને મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ પર પણ ચર્ચા કરી શકે છે. આ બેઠકમાં ભાજપ વિરોધી એકતાને વધુ મજબૂત બનાવવા તરફ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવે તેવી પણ શક્યતા છે.