શું ભરત ગોગાવલેએ બંગાળી બાબા પાસે અઘોરી પૂજા કરાવી? વીડિયો વાયરલ થતા ખળભળાટ

મુંબઈઃ મહારાષ્ટ્ર (Maharashtra) સરકારના પ્રધાન ભરત ગોગાવલે (Bharat Gogawale)નો એક વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેમાં મહારાષ્ટ્ર સરકારના મંત્રી ભરત ગોગાવલે કાળી હળદર અને પીળી હળદર વચ્ચે મંત્રોચ્ચાર અને ખુલ્લા વાળ સાથે બેઠેલા બાબા સાથે કોઈ પૂજા કરવાતા હોય તેવું લાગી રહ્યું છે. આ વીડિયો શિવસેના નેતા ભરત ગોગાવલ કથિત રીતે ‘અઘોરી પૂજા’ કરતા જોવા મળી રહ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથ તેમજ ભાજપના નેતાઓએ આ વીડિયોને લઈને ભરત ગોગાવલ પર આક્ષેપ કર્યો છે. આ વીડિયોમાં ભરત ગોગાવલ એક બંગાળી બાબા સાથે પૂજા કરતા જોવા મળી રહ્યા છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે આ પૂજા ઓક્ટોબર 2024 માં વિધાનસભા ચૂંટણીના એક મહિના પહેલા કરવામાં આવી હતી, જે જીત સુનિશ્ચિત કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવી હતી. જોકે, ભરત ગોગાવલે આ આરોપોને નકારી કાઢ્યા છે.
સૂરજ ચવ્હાણ શેર કર્યો ભરત ગોગાવલેનો અઘોરી પૂજાનો વીડિયો
આ નવો વીડિયો મહાયુતિના ઘટક રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદ પવાર જૂથ) ના પ્રવક્તા સૂરજ ચવ્હાણ દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં એક બાબા ખુલ્લા વાળ સાથે મંત્રોચ્ચાર કરતા જોવા મળે છે, જ્યારે ભરત ગોગાવલે પૂજામાં ભાગ લેતા હોય તેવું લાગી રહ્યું છે. આ પહેલા ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાના નેતા વસંત મોરેએ પણ ગોગાવલે પર અઘોરી પૂજાનો આરોપ લગાવતો એક વીડિયો જાહેર કર્યો હતો. હવે ફરી એક બીજો વીડિયો જાહેર કરવામાં આવ્યો છે.
शिवसेना नेते वसंत मोरे यांनी मंत्री भरत गोगावले यांच्यावर गंभीर आरोप होते..
— बाळासाहेबांचा शिवसैनिक गणेश (@GaneshD56174762) June 18, 2025
गुवाहाटीच्या बगलामुखी येथून महाराज आणून भरत गोगावले यांनी निवडणुकीच्या पूर्वी केली अघोरी पूजा केली होती..
तात्या बाण बरोबर घुसला आहे..@vasantmore88 तात्या pic.twitter.com/2rrjdd8wu4
ગોગાવલે સાથે જોડાયેલી અન્ય વાતો પણ બહાર આવશેઃ વસંત મોરે
વસંત મોરેને કહેવું છે કે, ‘જો આ અઘોરી પૂજા નહોતી તો પછી શા માટે ભરત ગોગાવલે નિર્વસ્ત્ર થઈને તેમાં બેઠા છે. અત્યારે માત્ર કાળી હળદર કે પીળી હળદરની જ વાતો સામે નથી આવી હવે ગોગાવલે સાથે જોડાયેલી અન્ય વાતો પણ જાણવા મળશે. ગોગાવલે સામે બેઠા ખુલ્લાવાળ વાળા બાબા કોણ છે? તે જનાતાને ગોગાવલે પહેલા લોકોને જણાવે! જો તમે લોકો માટે કામ કર્યા હોત તો તમારે આવા કર્મકાર્ડ કરવાની જરૂર જ ના પડી હોત!’ વસંત મોરેએ ભરત ગોગાવલે પર સીધા વાક્ પ્રહાર કર્યાં છે. એટલું જ નહીં પરંતુ ગોગાવલે લોકોની સેવા નથી કરતા તેવો પણ આક્ષેપ કર્યો છે.
આપણ વાંચો: મેટ્રોના કામમાં ઢીલ કરનાર કૉન્ટ્રેક્ટર હવે દંડાશે એમએમઆરડીએની નવી મૅનપાવર પૉલિસી
મેં કોઈ અઘોરી પૂજા નથી કરીઃ ગોગાવલેએ કરી સ્પષ્ટતા
જો કે, વીડિયો અને અઘોરી પૂજાના આરોપોને ભરત ગોગાવલેએ ખોટા કહ્યાં છે. આ મામલે નિવેદન આપતા ભરત ગોગાવલેએ કહ્યું કે, ‘મેં કોઈ અઘોરી પૂજા નથી કરી. અનેક સાધુઓ મારા ઘરે આવે છે તેનો આ વીડિયો છે. આ વીડિયોને તોડી મરોડીને લોકોને બતાવવામાં આવી રહ્યો છે. આલ મુદ્દે ભાજપ નેતા નિતેશ રાણેએ પણ ઉદ્ધવ ઠાકરે પર વાક્ પ્રહાર કર્યાં હતા. પરંતુ મહત્વની વાત એ છે આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા મહારાષ્ટ્રની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે.