રાજ ઠાકરેની મુલાકાત અંગે ફડણવીસે કહ્યું, ‘ગઠબંધન કોણ આપણને મળે છે તેના પર નિર્ભર નથી’ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

રાજ ઠાકરેની મુલાકાત અંગે ફડણવીસે કહ્યું, ‘ગઠબંધન કોણ આપણને મળે છે તેના પર નિર્ભર નથી’

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી છેલ્લા કેટલાક દિવસોથી ભારતીય જનતા પાર્ટી અને ચૂંટણી પંચની ટીકા કરી રહ્યા છે. રાહુલ ગાંધી આરોપ લગાવી રહ્યા છે કે ચૂંટણીમાં મતના ગોટાળા થયા છે.

રાહુલ ગાંધી દ્વારા લગાવવામાં આવેલા આરોપો બાદ શરદ પવાર, ઉદ્ધવ ઠાકરે અને રાજ ઠાકરેએ પણ ભાજપ અને ચૂંટણી પંચની આકરી ટીકા કરી છે. આનો જવાબ આપતાં ફડણવીસે કહ્યું હતું કે વિપક્ષ જ્યાં સુધી હારના કારણો પર અભ્યાસ અને મંથન નહીં કરે ત્યાં સુધી વિજય નહીં મેળવી શકે.

આપણ વાંચો: જ્યારે રાહુલ ગાંધીએ મતદારોની સંખ્યામાં વધારા અંગે ઘેર્યા, ત્યારે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું, ‘ઘણી જગ્યાએ કોંગ્રેસ…’

‘મહારાષ્ટ્રમાં 2014માં કોંગ્રેસનું શાસન હતું. તે પહેલાં દેશમાં કોંગ્રેસનું શાસન હતું. 15-15 વર્ષ સુધી કોંગ્રેસની સરકાર હતી. હવે તેઓ ચૂંટણી કેમ હારે છે? લોકોએ તેમને કેમ નકારી કાઢ્યા? જ્યાં સુધી તેઓ આના પર મંથન અને અભ્યાસ કર્યા વિના બડાઈ મારતા રહેશે, ત્યાં સુધી તેઓ ક્યારેય ચૂંટણી જીતી શકશે નહીં,’ એમ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે વિપક્ષની ટીકા કરતાં કહ્યું હતું.

મનસે પ્રમુખ રાજ ઠાકરેએ પુણેમાં એક સભામાં બોલતી વખતે મત ચોરીના આરોપો પર ટિપ્પણી કરી હતી તે અંગેના મીડિયાના સવાલોનો જવાબ આપતાં દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે, ‘ગાલિબને ખુશ કરવાનો વિચાર સારો છે, હું તેમને એટલું જ કહું છું કે જ્યાં સુધી તેઓ તેમની હાર પર વિચાર નહીં કરે, ત્યાં સુધી તેઓ ચૂંટાઈ શકશે નહીં. જ્યાં સુધી વિપક્ષ જૂઠું બોલતો રહેશે, ત્યાં સુધી તેઓ ક્યારેય જીતી શકશે નહીં,’ એમ ફડણવીસે કહ્યું હતું.

આપણ વાંચો: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન ફડણવીસે કહ્યું કે અમારી સરકાર ડબલ એન્જિન-ડબલ બૂસ્ટર છે…

રાજ ઠાકરેની મુલાકાત અંગે દેવેન્દ્ર ફડણવીસે શું કહ્યું?

રાજકીય વર્તુળોમાં રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે જોડાણ હોવાની ચર્ચા ચાલી રહી છે. જોકે, આ વાતચીત ચાલી રહી હતી ત્યારે રાજ ઠાકરે થોડા દિવસ પહેલા દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આ કારણે વિવિધ ચર્ચાઓ જોવા મળી હતી.

આ બાબતે પુછવામાં આવેલા સવલા પર ફડણવીસે કહ્યું હતું કે, લોકોએ મૂંઝવણમાં પડવાનું કોઈ કારણ નથી. અમારી મહાયુતિ અકબંધ છે. અમે સાથે લડીશું. ગઠબંધન કોણ કોને મળે છે તેના પર નિર્ભર નથી. સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં મહાયુતિ લડશે અને મહાયુતિ જીતશે, એમ દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું.

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »

સંબંધિત લેખો

Back to top button